[ર૭૦] ઈમામ પાછળ નમાઝની નિય્યત

Chapter : નમાઝ

(Page : 302)

સવાલ :– ઘણા લોકોને જોવામાં આવે છે કે ઈમામ સાહેબ જયારે રૂકૂઅ અને કઅદહમાં હોય ત્યારે ફટફટ આવીને શરીક થઈ જાય છે. અને ”આ ઈમામ પાછળ નમાઝ પઢું છું” એવું પણ નથી કહેતા, તો તેમની નમાઝોનો શું હુકમ છે? આવી જ રીતે અમુક લોકો આ પ્રમાણે નિય્યત કરે છે ”અસરની ચાર રકઅત ફર્ઝ નમાઝ પઢું છું અલ્લાહ માટે, મોઢું મારું કઅબહ તરફ” તો આવી નિય્યતમાં પણ ઈમામની પાછળનો શબ્દ નથી આવ્યો, તો નમાઝ થશે કે નહિ?  વિગતવાર જણાવશો. જવાબ :– નિય્યતના શબ્દો ઝબાનથી બોલવા જરૂરી નથી, નિય્યત દિલથી ઈરાદો કરવાનું નામ છે, કોઈ માણસે વુઝૂ કરતી વખતે જે તે વખતની ફર્ઝ નમાઝ ઈમામ સાથે પઢવાની  નિય્યત કરી અને નમાઝ સિવાયના બીજા કોઈ કામમાં મશગૂલ ન થયો હોય અને સફમાં પહોંચીને તેણે અલ્લાહુ અકબર કહી જે તે ઈમામ સાથે નમાઝ શરૂ કરી શરીક થઈ ગયો તો તેની નમાઝ સહીહ ગણાશે. ચાહે તેણે નિય્યતના શબ્દો મોઢેથી બોલી પૂરેપૂરા અદા કર્યા હોય અથવા બિલકુલ ન બોલ્યો હોય.  (બહર –૧ / ર૭ર , ર૮ર)

Log in or Register to save this content for later.