Chapter : નમાઝ
(Page : 300)
સવાલ :– હું નમાઝ પઢું છું તેમાં સના પછી અઊઝુબિલ્લાહ પઢું છું, ત્યાર પછી સૂરએ ફાતિહા પઢું છું, અને કુરઆન શરીફની કોઈ પણ આયત પઢું છું, તો સૂરએ ફાતિહા પછી મારે બિસ્મિલ્લાહ પઢવી જ પડે કે ન પઢે તો ચાલે, અગર પઢવી પડે તો હર રકઅતમાં પઢું કે પહેલી રકઅતમાં, અહિંયા એક આલિમ સાહેબનું કહેવું છે કે સૂરએ ફાતિહા પછી બિસ્મિલ્લાહ ન પઢાય.
જવાબ :– આહિસ્તા કિરાઅતવાળી નમાઝમાં સૂરએ ફાતિહા પછી કોઈ સૂરત પઢો તો ઈમામ મુહમ્મદ (રહ.)ના મંતવ્ય મુજબ બિસ્મિલ્લાહ પઢવી બેહતર છે, બાકી જરૂરી નથી. ન પઢો તો પણ ચાલે, કારણ કે અમૂક ઈમામો સૂરતની શરૂમાં બિસ્મિલ્લાહ ન પઢવાનું કહે છે. (શામી – ૧/૩ર૯)
Log in or Register to save this content for later.