Chapter : નમાઝ
(Page : 299)
સવાલ :– અમારા શહેરમાં એક મસ્જિદ નીચેના ભાગમાં હતી. ઘણા વર્ષો પહેલાં તે મસ્જિદને શહીદ કરી ઉપરના ભાગમાં મસ્જિદ તામીર કરી, જયારે જૂની મસ્જિદ (નીચે) હતી ત્યારે તેમાં કિબ્લા રૂખ બરાબર હતુ. હવે જે પાછળથી ઉપરના ભાગમાં મસ્જિદ તા’મીર કરી ત્યારે ગમે તેમ થયું હોય કિબ્લારૂખ બરાબર નથી. આ હકીકતની જાણ હમણા એકાદ માસ પહેલા થયેલ છે. કુતુબનુમાથી જોતા અગિયાર નંબર ઉપર લાવવાથી અમારા શહેરમાં કિબ્લારૂખ સહીહ હોય છે, પરંતુ તૈયાર થએલ મસ્જિદમાં કુતુબનુમાથી જોતાં નવ નંબર બતાવે છે. તો આ બાબત શું કરવું ? આવી રીતે બે નંબરનો તફાવત છે તો તે મુજબ નમાઝ ચાલુ રાખવી કે પછી અગિયાર નંબર મુજબ સફો ઠીક કરી નમાઝ અદા કરવી?
જવાબ :– કિબ્લા કમ્પાસના બે નંબરોનો તફાવત ૧૧નં ના બદલે ૯ નંબર એટલે ૧૮ (ડીગ્રી) ઉત્તર તરફ ત્રાંસો છે. આટલા ત્રાંસથી નમાઝમાં કોઈ વાંધો આવતો નથી. બલ્કે જાઈઝ થઈ જાય છે. પરંતુ જો મજકૂર ત્રાંસ ખતમ કરી સફો સીધી પાથરવામાં કોઈ ફિત્ના ફસાદનો ભય ન હોય અને નમાઝીઓ માટે જગ્યાની તંગી પણ ન હોય તો સફો સીધી પાથરી ત્રાંસ વગર નમાઝ પઢવી બેહતર છે. જરૂરી નથી. (જ.ફિકહ – ર)
Log in or Register to save this content for later.