[૮૭] ગરીબ હાજી માટે ઈદ તથા હજની કુરબાની

Chapter : હજ

(Page : 122)

સવાલ  :– એક માણસ સાહિબે માલ નથી, તેને એક બીજો ભાઈ હજ્જે બયતુલ્લાહ માટે લઈ જાય છે, તો લઈ જનારે તે માણસની હજની કુરબાની ત્યાં મક્કહ મુકર્રમહમાં તો કરવી પડશે, પરંતુ તેના પોતાના વતનમાં પણ કરવી પડશે કે નહિ?

જવાબ  :– જે માણસ સાહિબે માલ ન હોય અને ઝકાતનો હકદાર ગરીબ હોય તેવા હજમાં જનાર માણસ ઉપર ઈદની કુરબાની ન વતનમાં આપવી વાજિબ છે અને ન મક્કહ મુકર્રમહમાં આપવી વાજિબ છે, અલબત્ત, જો મજકૂર ગરીબ માણસ તમત્તુઅ અથવા કિરાન પ્રકારની હજ કરે તો તેની ઉપર હજની કુરબાની વાજિબ છે અને મજકૂર હજની કુરબાની તેના પોતાના ઉપર વાજિબ છે, તેને હજ માટે લઈ જનાર ઉપર વાજિબ નથી, અલબત્ત, તેને હજમાં લઈ જનાર માણસ તેની ઈજાઝત લઈ તેના તરફથી હજની કુરબાની કરી આપશે તો તેની હજની કુરબાની દુરસ્ત અને અદા થઈ જશે.        (શામી–ર/પ)

Log in or Register to save this content for later.