[ર૬૪] કચ્છ–ભૂજમાં મસ્જિદનો કિબ્લો

Chapter : નમાઝ

(Page : 298)

સવાલ :– અમારા ગામની મસ્જિદ નાની પડતાં બાજુમાં તેની સાથે જ બીજી મસ્જિદ બનાવીએ છીએ. તે માટે કિબ્લાની દિશા માટે કુતુબનુમાના સહારે લકીરો ખેંચેલ, પરંતુ કુતુબનુમાથી કિબ્લાની દિશા બતાવતાં અમૂક શહેરોના નંબરોની જે બુક આવે છે તેમાં અહમદાબાદ, બડોદા, કલકત્તા નંબર ૧૧ પર આવે છે, અને કચ્છના લોકો પણ વધુ પડતા ૧૧ પર કિબ્લા હોવાનું કહે છે. જયારે મોજુદા આબાદ મસ્જિદ જોતાં નંબર ૯॥ થી ૧૦ આવે છે અને બારીકાઈથી જોતા પશ્ચિમ દિશાથી ઉત્તર  તરફ જરા ઢળતી છે તો હવે અમારે નવી મસ્જિદ નંબર ૧૧ મુજબ બનાવવી કે કેમ ? અને હાલમાં કાયમ મસ્જિદનું શું કરવું જોઈએ ?

જવાબ :– જો તમારી મસ્જિદ ઘણા વર્ષો જૂની હોય તો તમારે જૂની મસ્જિદના હિસાબે જ કિબ્લાની દિવાલ નકકી કરવી જોઈએ અને નવું બાંધકામ તે પ્રમાણે જ કરવું એ બેહતર છે. જો કિબ્લા કંપાસ મુજબ ૧૧ નંબર ઉપર મૂકી કિબ્લાની દિશા નકકી કરશો તો પણ પૂછેલી સૂરતમાં જાઈઝ છે. બન્ને સૂરતોમાં જે કિબ્લાની દિશા નકકી થશે તે દુરૂસ્ત ગણાશે અને નમાઝના દુરૂસ્ત હોવામાં કોઈ વાંધો અને કરાહત નહિં આવે. કચ્છ – ભૂજનો કિબ્લો માત્ર થોડાક અંશે ઉત્તર તરફ ઢળતો સાબિત થાય એ બરાબર છે. ”અહસનુલ ફતાવા”માં અનેક શહેરોની કિબ્લા સૂચીમાં કચ્છ અને ભૂજનો કિબ્લો બે થી ત્રણ ડિગ્રી ઉત્તર તરફ બતાવવામાં આવેલ છે અને તે મુજબ ૯॥ નંબર ઉપર કિબ્લો નકકી કરવો બેહતર છે.  (અહસનુલ ફતાવા – ર, જવાહિરૂલ ફિકહ–૧)

Log in or Register to save this content for later.