[૮૬] મકકહના ગરીબ માટે હજની કુરબાની

Chapter : હજ

(Page : 121-122)

સવાલ :– અગર કોઈ માણસ મકકહમાં રહેતો હોય અને હજના વખતમાં તે ગરીબ હોય તે છતાં પણ તે હજ કરે અને કુર્બાની ના પૈસા ન હોવાથી તે કુર્બાની ન કરી શકે તો તેની હજ થશે કે નહિ અને ત્યાંના એક આલીમના કહેવા પ્રમાણે દશ (૧૦) રોઝા રાખે તો ચાલશે કે નહિ?

જવાબ :– જો મજકૂર માણસે ફકત હજ જ અદા કરી છે, ઉમરહ અદા કર્યો નથી એટલે તમત્તુઅ અથવા કિરાનની સૂરતમાં હજ કરી નથી તો હજની કુર્બાની વાજિબ નથી, જો મજકૂર વ્યકિતએ તમત્તુઅ અથવા કિરાનની સૂરતમાં હજ અદા કરી છે અને તે મકકહ મુર્કરમહનો એવો રહેવાસી છે કે જેના માટે તમત્તુઅ અને કિરાનની મનાઈ છે. તો તેના ઉપર કુર્બાની વાજિબ છે અને આ કુર્બાનીમાં જાનવર જ ઝબહ કરવું જરૂરી છે. તેના બદલામાં રોઝહ રાખવા કોઈ સૂરતથી પણ જાઈઝ અને પૂરતા નથી, જો કુર્બાની વિના હલાલ થઈ ગયો તો હવે બે કુર્બાનીઓ ત્યાં મીના કે મકકહમાં કરવી જરૂરી છે. (ઝુબ્દતુલ મનાસિક –ર/૧૧, શામી–ર/૧૯૭) અને જો મકકહ મુર્કરહનો એવો રહેવાસી હોવાની હાલતમાં તમત્તુઅ અથવા કિરાનની સૂરતમાં હજ કરી છે કે તેના માટે તમત્તુઅ અને કિરાન જાઈઝ છે, મના નથી, તો પણ હજની કુર્બાની વાજિબ છે અને કુર્બાની ન કરી શકે તો ફકત ઉમરહનો અથવા હજ – ઉમરહનો ભેગો એહરામ બાંધ્યા બાદ એ પ્રમાણે દસ રોઝા રાખી શકે છે કે ત્રણ રોઝા દસમી ઝિલ્‌હજથી, બલકે બેહતર છે કે નવમી ઝિલ્‌હજથી પહેલાં રાખવામાં આવે અને સાત રોઝા તશ્રીકના દિવસો પત્યા પછી રાખવામાં આવે જો દસમી ઝિલ્‌હજ પહેલાં ત્રણ રોઝહ ન રાખી શકયો હતો તો હવે પછી કુર્બાનીના બદલામાં દસ રોઝા રાખવા પૂરતા નથી બલ્કે બે કુર્બાની કરવી જ જરૂરી છે અને મજકૂર સૂરતમાં હજ પછી દસ રોઝહ રાખવા  દુરસ્ત નથી.      (ઝુ.મનાસિક –ર/૩૭)

Log in or Register to save this content for later.