Chapter : નમાઝ
(Page : 297)
સવાલ :– મને નમાઝમાં ખોટા–ખોટા વિચારો આવ્યા કરે છે. તેને દૂર કરવા હું ઘણાં પ્રયત્નો કરૂં છું છતાં વિચારો આવ્યા કરે છે, તો તે વિચારોના લઈ મારી નમાઝ અદા થશે? વિચારો દૂર કરવા માટે શરીઅતમાં કોઈ વઝીફો હોય તો જણાવશો.
જવાબ :– ખોટા વિચારો આવવાથી નમાઝ ફાસિદ નહિં થાય, અલબત્ત, નમાઝમાં ખોટા વિચારો ન લાવવા જોઈએ અને આપો આપ આવે તો એમાં લાગવું ન જોઈએ. નમાઝની તકબીર – સના – તસ્બીહ – તશહહુદ – દુરૂદ શરીફ અને દુઆ તેમજ કિરાઅતના અર્થનું ધ્યાન કરી નમાઝ પઢવામાં આવશે તો ઈન્શાઅલ્લાહ વિચારો નહીં આવે.
Log in or Register to save this content for later.