[૮ર] મુહરિમ માટે ખૂશ્બૂદાર તંબાકુ અને મસાલાનો ઉપયોગ

Chapter : હજ

(Page : 116)

સવાલ :– એહરામની હાલતમાં ખૂશ્બૂવાળી તંબાકુ અથવા માવો – મસાલો ખાય શકાય કે નહિ? અને મુહરિમ બીડી, સીગારેટ પી શકે કે નહિ? અગર મજકૂર વસ્તુઓ મુહરિમ ન ખાય – પી શકતો હોય અને તેણે ખૂશ્બૂદાર તંબાકુ કે મસાલો ખાઈ લીધો અથવા બીડી – સીગારેટ પી લીધી તો શું કફફારો વાજિબ થશે, તે જણાવશો.

જવાબ :– ખૂશ્બૂદાર તંબાકુ અને માવા – મસાલામાં જે ખૂશ્બૂની મિલાવટ કરવામાં આવતી હોય જો તે પ્રમાણમાં તંબાકુ અને માવા – મસાલાથી ઓછી હોય તો તેવી ખૂશ્બૂદાર તંબાકુ અને મસાલા ખાવાથી મુહરિમ પર કોઈ કફફારો તો વાજિબ નહિ થાય, પરંતુ આવી ખૂશ્બૂદાર તંબાકુ અને માવો  મસાલો ખાવો મુહરિમ માટે મકરૂહ છે. (શામી–ર/ર૦ર, ઉ.ફિકહ – ૪/૪૮૧, ઝુબ્દહ – ર/પ૯)

                એહરામની હાલતમાં અને હલાલ હોવાની હાલતમાં વિના જરૂરતે માત્ર આદતના કારણે બીડી, સીગારેટ પીવી મકરૂહ છે અને મોઢામાંથી બીડી સીગારેટની બદબૂ સાફ કર્યા વિના મસ્જિદે હરામ અને અન્ય મસ્જિદો તથા દીની મજલિસોમાં જવું મકરૂહ છે.       (શામી–૧)

Log in or Register to save this content for later.