Chapter : નમાઝ
(Page : 293)
સવાલ :– અડધાથી વધુ બાળક નીકળ્યું પણ હજુ પૂરુ નીકળ્યું નથી તે વખતે જે લોહી આવશે તે પણ નિફાસ છે અને જો અડધાથી ઓછું નીકળ્યું તે વખતે જે લોહી આવશે તે ઈસ્તિહાઝહ છે. જો હોશ હોશિયારી હોય તો તે વખતે પણ નમાઝ પઢે, નહિં પઢવાથી ગુનેહગાર થશે, બેસીને ઈશારાથી પણ પઢે, પરંતુ કઝા ન થવા દે, પણ જો નમાઝ પઢવાથી બાળકની હલાકીનો ડર હોય તો નમાઝ ન પઢે. (દુ. મુખ્તાર, ભાગ–૧)
ઉપરોક્ત મસ્અલો ‘‘બેહિશ્તી ઝેવર ગુજરાતીના ભાગ–ર ના પેજ પાંચ ઉપર ત્રીજા નંબર પર નિફાસના બયાનમાં છે.
આ મસ્અલો એક માણસને અમે કહયો તો તેણે હમોને ના કહયું કે આ વાત ખોટી છે પછી એ માણસે હમોને કહયું કે મેં દારુલ ઉલૂમમાં આ મસ્અલો પૂછયો તો દારુલ ઉલૂમમાંથી ના કહયું કે જો બાળક અડધા કરતાં ઓછું નીકળ્યું હોય તો પણ નમાઝ માફ છે તો શું આ કિતાબ ખોટી છે કે પછી અમે જે માણસને પૂછયું તે માણસ જૂઠું બોલે છે કે પછી જવાબ આપનાર મૌલાના સાહેબ જૂઠું બોલે છે ?
જવાબ :– ઉપર બેહિશ્તી ઝેવરથી નકલ કરવામાં આવેલ મસ્અલો ”દુર્રે મુખ્તાર”માંથી નકલ કરવામાં આવ્યો છે અને તે બિલકુલ સત્ય અને બરાબર છે. આવી હાલતમાં નમાઝ માફ થતી નથી.
(દુ. મુખ્તાર, શામી : ૧/૧૯૯)
Log in or Register to save this content for later.