[રપપ] બીમાર રુકૂઅ–સજદહ ઈશારાથી પણ ન કરી શકે

Chapter : નમાઝ

(Page : 292)

સવાલ :– અમારા ગામમાં એક વૃધ્ધ માણસ છે. તે જ્યારે પણ નમાઝ પઢે છે તો અનોખી રીતે પઢે છે અને બેસીને જ પઢે છે અને જ્યારે રુકૂઅનો વખત આવે છે તો ઝૂકતા નથી, પરંતુ પોતાના બન્નેવ હાથ પોતાની રાન ઉપર મુકી દે છે અને સજદહના વખતે પોતાના બન્નેવ હાથ ફક્ત સીધા કરી દે છે અને ઝૂકતા નથી. જ્યારે મેં એમને પૂછયું તો એમણે કહયું કે મને વાલની બીમારી છે. ઝૂકવાના સાથે છાતીમાં દુખાવો થાય છે. એટલા માટે હું આ રીતે નમાઝ પઢું છું તો શું આ બીમારીના કારણે આ રીતે નમાઝ પઢી શકાય છે ?

જવાબ :– સવાલમાં લખ્યા મુજબ જો બેસીને રુકૂઅ–સજદહનો ઈશારો માથા વડે કરવાથી વાલની ખરાબીના લઈ છાતીમાં તકલીફ થાય છે અને તે તકલીફ સખ્ત છે અથવા તે તકલીફના કારણે બીમારી વધી જવાનો ભય છે, પરંતુ જો ઉભા રહીને નમાઝ પઢી શકતા હોય અને ભલે રુકૂઅ–સજદહ તકલીફના કારણે ન કરી શકતા હોય પણ માથું ઝૂકાવીને રુકૂઅ–સજદહનો ઈશારો કરી શકતા હોય તો ઉભા રહીને માથું ઝૂકાવીને રુકૂઅ–સજદહનો ઈશારો કરી નમાઝ પઢવી જરૂરી છે અને જો ન બેસીને માથું ઝૂકાવી રુકૂઅ–સજદહનો ઈશારો કરી શકે છે, ન ઉભા રહીને કરી શકે છે તો તેઓ માટે હાલ નમાઝ છોડવાની ઈજાઝત છે. સવાલમાં લખવા મુજબ રુકૂઅ–સજદહનો હાથથી ઈશારો કરવો દુરુસ્ત નથી. રુકૂઅ–સજદહનો ઈશારો માથુ ઝૂકાવીને માથાથી જ કરવો જરૂરી છે. જો તે પ્રમાણે કરવા શક્તિમાન ન હોય તો હાથથી ઈશારો ન કરવામાં આવે, બલ્કે હાલ નમાઝ છોડી આપવામાં આવે. શરીઅતનો એ જ હુકમ છે.

 (તહતાવી અલલ્‌ મરાકી : ર૩૬, શામી : ૧/પ૦૯)

Log in or Register to save this content for later.