Chapter : નમાઝ
(Page : 291)
સવાલ :– શ્વાસ તથા પેટની બીમારીના લઈ નમાઝ પઢાતી નથી. દરરોજ રાત્રે જુલ્લાબ લેવો પડે છે તો દરરોજની પાંચ નમાઝોમાંથી અમુક પઢાય છે, અમુક નથી પઢાતી. તો શું ફિદયો છે ? જો કે તબીઅત અમુક મુદ્દત પછી થોડી સારી થાય તો નમાઝ પઢાય કે પછી શ્વાસની બીમારીનો હુમલો થાય છે આવું જ ચાલે છે તો આ વિશે શું હુકમ છે ?
જવાબ :– માણસ પોતાની ઝિંદગીમાં છૂટેલી નમાઝોનો ફિદયો જીવતા જીવંત આપી શકતો નથી. ઝિંદગીમાં તો શક્તિ આવે તો કઝા કરવી જરૂરી છે, ચાહે છૂટેલી નમાઝો બીમારીના લઈ છૂટી હોય તો પણ આ જ હુકમ છે. (શામી : ૧)
Log in or Register to save this content for later.