[રપ૩] હયાતીમાં નમાઝનો ફિદયો

Chapter : નમાઝ

(Page : 291)

સવાલ :– શ્વાસ તથા પેટની બીમારીના લઈ નમાઝ પઢાતી નથી. દરરોજ રાત્રે જુલ્લાબ લેવો પડે છે તો દરરોજની પાંચ નમાઝોમાંથી અમુક પઢાય છે, અમુક નથી પઢાતી. તો શું ફિદયો છે ? જો કે તબીઅત અમુક મુદ્દત પછી થોડી સારી થાય તો નમાઝ પઢાય કે પછી શ્વાસની બીમારીનો હુમલો થાય છે આવું જ ચાલે છે તો આ વિશે શું હુકમ છે ?

જવાબ :– માણસ પોતાની ઝિંદગીમાં છૂટેલી નમાઝોનો ફિદયો જીવતા જીવંત આપી શકતો નથી. ઝિંદગીમાં તો શક્તિ આવે તો કઝા કરવી જરૂરી છે, ચાહે છૂટેલી નમાઝો બીમારીના લઈ છૂટી હોય તો પણ આ જ હુકમ છે.               (શામી : ૧)

Log in or Register to save this content for later.