Chapter : હજ
(Page : 109)
સવાલ :– કસર માટે શું હુકમ છે ? માથાના કોઈ પણ ભાગમાંથી થોડાક બાલ કાતરી લેવામાં આવે તો તે કસર ગણાશે કે નહિ?
જવાબ :– જો માથુ મૂંડાવવું ન હોય તો કસર વાજિબ છે અને કસર વાજિબનું પ્રમાણ નક્કી છે કે આંગળીના બેડકાથી થોડા વધારે બાલ કતરાવવામાં આવે અને ચોથાઈ માથાના કતરાવવામાં આવે ચાહે માથાના ગમે તે ભાગમાંથી હોય, જો એથી થોડા કતરાવ્યા તો વાજિબ અદા થશે નહિ. હા, એ બાબત પણ યાદ રાખવી કે ચોથાઈ માથાના વાળ કેંચી વડે એક–બેડકાથી થોડી વધુ લંબાઈમાં કપાવવાથી વાજિબ તો અદા થઈ જશે અને એહરામથી હલાલ પણ થઈ જશે, પરંતુ પુરા માથાના વાળ મજકૂર લંબાઈથી કતરાવવા સુન્નત છે અને ફકત ચોથાઈ માથાના વાળ કતરાવવા મકરૂહે તહરીમી અને સુન્નત વિરૂધ્ધ છે. અને અંગ્રેજી ઢબથી વાળ કતરાવવા પણ નાજાઈઝ છે. (આલમગીરી–૧/ર૩૧, શામી – ર/૧૮ર)
Log in or Register to save this content for later.