[રપ૧] સલામમાં ઈમામની ઈકિ્‌તદાનો તરીકો

Chapter : નમાઝ

(Page : 290)

સવાલ :– જમાઅતની નમાઝમાં જ્યારે ઈમામ આખરી સલામ (બીજી સલામ)નો પહેલો લફ્‌ઝ અસ્સલામુ પર પહોંચે ત્યારે મુક્તદીઓએ સલામ ફેરવવી જોઈએ કે અસ્સલામુ અલયકુમ વ રહ્‌મતુલ્લાહના પૂરેપૂરા શબ્દો ખતમ થઈ ગયા બાદ મુક્તદીઓએ સલામ ફેરવવી જોઈએ ? ઘણાં લોકો આખરી (બીજી) સલામના અસ્સલામુ પર સલામ ફેરવી આપે છે તો આ રીતે કરવાથી નમાઝમાં કંઈ નુક્‌સ (ખામી) આવશે ખરી ?

જવાબ : – પહેલી અને બીજી બન્ને સલામોમાં ઈમામની સાથે સાથે સલામનાં શબ્દો કહેવા અને મોઢું ફેરવવું અથવા ઈમામના વ રહ્‌મતુલ્લાહ પર પહોંચ્યા પછી કહેવા અને મોઢું ફેરવવું બન્ને રીતો જાઈઝ છે, પરંતુ અફઝલ અને બેહતર હઝરત સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ એ પ્રમાણે છે કે ઈમામ પછી સલામના શબ્દો કહેવા અને મોઢું ફેરવવામાં આવે. અલબત્ત, જો કોઈ મુક્તદી બીજી સલામમાં ઈમામ અસ્સલામુ પર પહોંચે ત્યારે સલામ ફેરવવાનું શરૂ કરી દેશે તો તેની નમાઝમાં કોઈ નુક્‌સ (ખામી) નહિં આવે.      (શામી : ૧/૩પર, અ. ફતાવા : ૩/૩૧ર)

Log in or Register to save this content for later.