Chapter : હજ
(Page : 108-109)
સવાલ :– એહરામ બાંધવામાં કોઈ સીવેલું કપડું પહેરવાનું હોતું નથી અને એહરામની નીચેની ચાદરને ગાંઠ પણ વાળી શકાતી નથી. તો જે પટો મળે છે જેમાં પૈસા પણ રાખી શકાય છે તે કમર પટો નીચેની ચાદરની ઉપર બાંધી શકાય કે નહિ ?
જવાબ :– જે કમર પટો પૈસા મુકવાની નિય્યતથી બાંધવામાં આવે છે તે નીચેની ચાદરની નીચે અને ઉપર બન્નવ સૂરતમાં બાંધી શકાય છે, પણ નીચેની ચાદર પર નાડું બાંધવું કે ગાંઠ વાળવી મકરૂહ છે. કારણ કે ચાદરના ખુલી જવાથી બચવાનો ઈરાદો હોવાના લીધે સીવેલા કપડાંની જેમ બની જશે, જયારે કે મજકૂર પટો પૈસા મુકવાના ઈરાદાથી હોય છે ન કે ચાદરની હિફાઝત કરવાના હેતુથી. (શામી–ર/રર૪)
Log in or Register to save this content for later.