[૭૧] એહરામની લુંગીમાં ચાંપ લગાડવો

Chapter : હજ

(Page : 107)

સવાલ :– એહરામની હાલતમાં સતર ખુલી જવાનો ભય હોય તો નીચે બાંધેલી ચાદરની વચ્ચે કે નીચેના ભાગના છેડા ખુલી ન જાય તે માટે છેડાએ ચાંપ અથવા ટાંકણી લગાવી શકાય કે કેમ ?

જવાબ :– એહરામની નીચેની ચાદરની વચ્ચે કે નીચેના છેડાએ ચાંપ કે ટાંકણી લગાડવી મકરૂહ છે. કારણ કે સીવેલા કપડાની જેમ થઈ જાય છે. જેમ સીવેલા કપડામાં સતરની હિફાઝત માટે વધુ તકલીફ ઉઠાવવી નથી પડતી તેમ ચાંપ કે ટાંકણી લગાડવાથી ચાદરની પણ એવી હાલત થઈ જશે.         (અલ–બદાઈઅ – ર/૧૮પ)

Log in or Register to save this content for later.