[૬૬] હજ ફર્ઝ થવાનો સમય

Chapter : હજ

(Page : 99)

સવાલ :– એક માણસ પાસે એટલા પૈસા આવી ગયા છે કે પોતાનું કર્ઝ બાદ કરતાં અને હજ પઢીને આવતાં સુધી બચ્ચાંઓનું ભરણપોષણ પણ થઈ જાય તો એના ઉપર હજ ફર્ઝ થઈ જાય છે કેમ? કયા મહિનાઓમાં એટલા પૈસા આવી જાય તો હજ ફર્ઝ થઈ જાય તે પણ જણાવશો?

જવાબ :– સામાન્ય રીતે પોતાના એરીયા કે સ્થળના લોકો જયારે હજ માટે સફર કરતા હોય ત્યારે હજ પઢવા જેટલી રકમનો માલિક હોય તો હજ ફર્ઝ થઈ જાય છે અને આજ કાલ સામાન્ય રીતે લોકો હજના મહિનાઓ શવ્વાલ – ઝિલ્કદ ઝિલ્હજની શરૂઆતમાં હજ માટે મુસાફરી કરે છે, માટે તે સમયગાળા દરમ્યાન હજ પઢવા પાત્ર રકમનો માલિક બને તો હજ ફર્ઝ થઈ જશે. (અલ બહર–ર/૩૧૪, મુ. હુજ્જાજ – ૭૧)

Log in or Register to save this content for later.