Chapter : હજ
(Page : 98)
સવાલ :– અમો બોમ્બેથી ઉમરહ માટે હવાઈમાર્ગે નીકળવાનો ઈરાદો કર્યો છે (ઈ.અ.), અમારો વિચાર બોમ્બેથી જિદ્દહ ઉતરી ત્યાંથી સીધા હવાઈમાર્ગે અથવા જમીનમાર્ગે મદીનહ મુનવ્વરહ જવાનો છે અને ત્યાં અઠવાડિયું રોકાઈ પછી મકકહ શરીફ ઉમરહ માટે જવાનું છે, આ સંજોગોમાં એહરામ કયાંથી બાંધવો?
જવાબ :– આ સૂરતમાં જયારે તમો જિદ્દહથી સીધા મદીનહ મુનવ્વરહ જવાના છો અને તે મુસાફરી દરમ્યાન હરમે મકકહ મુર્કરમામાં દાખલ કે પસાર થવાના નથી તો તમોએ બોમ્બેથી હવાઈમાર્ગે જિદ્દહ જતાં અને જિદ્દહથી હવાઈમાર્ગે કે જમીનમાર્ગે ગમે તે માર્ગે મદીનહ જતાં એહરામ બાંધવો જરૂરી નથી, અલબત્ત, મદીનહથી મકકહ જતી વખતે મદીનહના મીકાત ઉપર અથવા તેથી પહેલાં ઉમરહનો એહરામ બાંધવો જરૂરી છે.
Log in or Register to save this content for later.