[ર૪] સુન્નતો મસ્જિદમાં કે સહનમાં?

Chapter :

(Page : )

સવાલ :–(૧) ફર્ઝ નમાઝ પહેલાંની સુન્નતો મસ્જિદના જમાઅતખાનાને બદલે સહનમાં અથવા મસ્જિદના બહારના ભાગમાં પઢવામાં આવે તો સવાબમાં કંઈ ફરક પડશે કે નહિં ?

જવાબ :–(૧) ફર્ઝ પહેલાંની સુન્નતો ઘર ઉપર પઢવામાં વધુ સવાબ છે અને મસ્જિદમાં અથવા મસ્જિદના સહનમાં પઢવાથી સવાબમાં કોઈ ફરક નહિ પડે, પરંતુ મસ્જિદથી બહારના ભાગમાં પઢવી બેહતર છે, કારણ કે જમાઅત થતી હોય ત્યારે મસ્જિદમાં સુન્નતો પઢવી મકરૂહ છે અને ફર્ઝથી પહેલાંની સુન્નતોમાં એ વાતની શક્યતા રહે છે કે તે પૂરી થતાં પહેલાં જમાઅત શરૂ થઈ જાય. માટે મસ્જિદથી બહાર પઢવામાં આવે, જેથી કરાહત પેદા થવાની શક્યતા ન રહે.

(શામી: ૧/૪પ૮, ૪૮૧)

સવાલ :–(ર) ઘણાં લોકો જમાઅત ઊભી થતી વેળા ઈમામની પાછળ ઈમામની જમણી બાજુ ઊભા રહેવાં દોડધૂપ કરે છે તો શું આ બાબત જનાબ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી કોઈ ફરમાન કે ફઝીલત સાબિત છે કે નહિં?

જવાબ :–(ર) પહેલી સફમાં ઈમામની પાછળ અને જમણી તરફ ઉભા રહેવામાં ડાબી તરફ ઉભા રહેવા કરતાં વધુ ફઝીલત અને સવાબ છે. રિવાયતમાં આવે છે કે અલ્લાહ તઆલા જ્યારે જમાઅત પર રહમત નાઝિલ કરે છે તો પ્રથમ ઈમામ પર નાઝિલ કરે છે પછી ત્યાંથી પહેલી સફમાં ઈમામની પાછળ ઉભા રહેનાર તરફ આગળ વધે છે તે પછી જમણી તરફ અને ત્યાર બાદ ડાબી તરફ. બીજી રિવાયતમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવે છે કે જે ઈમામની પાછળ (પહેલી સફમાં) નમાઝ પઢે છે તેના માટે ૧૦૦ નમાઝોનો સવાબ લખવામાં આવે છે અને જમણી તરફ પઢનાર માટે ૭પ નમાઝોનો સવાબ અને ડાબી તરફ પઢનાર માટે પ૦ નમાઝોનો સવાબ અને બાકી સફોમાં પઢનારાઓ માટે રપ નમાઝોનો સવાબ લખવામાં આવે છે.    (અલ્‌ બહ્‌રુર્રાઈક : ૧/૩પ૪)

(page number 67-68)

Log in or Register to save this content for later.