Chapter : નમાઝ
(Page : 268)
સવાલ :– ફિકહની કિતાબોમાં શરીઅતના અમલી કામોના ફર્ઝ– વાજિબ–સુન્નત–મુસ્તહબ એમ અનેક પ્રકાર બયાન કરવામાં આવ્યા છે તો એમાંથી સુન્નતનો શું મતલબ થાય છે ?
જવાબ :– જે કામને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અથવા હઝરત ખુલફાએ રાશિદીન (રદિ.)એ હમેશા કર્યું હોય અને તે કામ વાજિબ ન હોય તેવા કામને સુન્નત કહેવામાં આવે છે.
ઈન્ કાન મિમ્મા વાઝબ અલય્હિ–ર્–રસૂલુ સલ્લલ્લાહુ અલય્હિ વ સલ્લમ અવિલ્ ખુલફાઉ–ર્–રાશિદૂન મિંમ્ બઅ્દિહિ ફ સુન્નતુન્ વ ઈલ્લા ફ મન્દૂબુન્ વ નફલુન.(‘રદ્દુલ મુહ્તાર ૧/૭૦)
Log in or Register to save this content for later.