Chapter :
(Page : )
સવાલ :– હું હમણાં સુરતમાં નોકરી કરું છું અને મને સાંજે ૬ વાગ્યાની બસ મળે છે. તેના પછી ૭–૩૦ ની બસ મળે છે તો બાબત આ છે કે હું ૬ વાગ્યાની બસથી ઘરે જાઉં છું તો લગભગ ૬–૩૦ અથવા ૬–૪પ વાગ્યે ઘરે પહોંચું છું તો હું તે સમયે મગરિબની નમાઝ જમાઅત વગર પઢી લઉં છું.
પરંતુ અસલ મસ્અલો આ છે કે હું એક વર્ષથી અવ્વાબીનની નફલ નમાઝ પઢું છું. તો તમે જણાવશો કે હું ૭–૦૦ વાગ્યે અવ્વાબીન પઢું તો મને તેનો સવાબ મળશે કે નહિં ? ( કારણ કે હું જો સુરતમાં મગરિબની નમાઝ જમાઅતની સાથે પઢું તો મને ૭–૩૦વાગ્યાની બસ મળે છે તે મને૮–૦૦વાગ્યા પછી ઘરે પહોંચાડે છે તો મારી ઈશાની જમાઅત પણ જાય છે.)
જવાબ :– જો સફરમાં હોવાથી મગરિબની નમાઝ તેના સમયમાં મોડી પઢશો અને મગરિબના સમયમાં જ મગરિબની નમાઝ પઢી અવ્વાબીનની નમાઝ પઢશો તો અવ્વાબીનનો સવાબ મળશે, પરંતુ તમારા માટે બેહતર આ છે કે મગરિબની નમાઝ જમાઅત સાથે પઢી તે પછી અવ્વાબીન પઢવામાં આવે અને બીજી બસથી સફર કરી ઈશાની નમાઝ મોડેથી પઢવામાં આવે, કારણ કે મગરિબની નમાઝ જલ્દી પઢી લેવાની તાકીદ છે અને વધુ મોડું કરવામાં સમય પૂરો થઈ જવાનો ભય છે. (શામી : ૧/૪પ૩, અ. ફતાવા : ૩/૪૬૬)
(page number 66-67)
Log in or Register to save this content for later.