Chapter : નમાઝ
(Page : 265)
સવાલ :– મુક્તદી અને મુનફરિદે નમાઝમાં અલ્લાહુ અકબર, સના, અઊઝુ, બિસ્મિલ્લાહ, આમીન, સમિઅલ્લાહુ લિમન્ હમિદહ, રબ્બના વ લકલ્ હમ્દ, રુકૂઅ તથા સજદહની તસ્બીહ, અત્તહિય્યાત, દુરૂદ શરીફ, દુઆ અને સલામ એટલા જોરથી પઢવી કે આસપાસના બીજા નમાઝીઓ સાંભળી શકે, એ કેવું છે?
જવાબ :– મુક્તદી અને મુનફરિદ નમાઝીએ સવાલમાં લખેલી બધી વસ્તુઓ એ રીતે આહિસ્તા પઢવી કે આસપાસના નમાઝીઓ ન સાંભળી શકે એ સુન્નત છે અને સુન્નત તરીકા વિરૂધ્ધ મજકૂર વસ્તુઓ જોરથી પઢવી એ મકરૂહ છે. (શામી ૧/૩ર૦/૪૩૯, બહર ૧/૩૩૬)
અલબત્ત, જો જમાઅત મોટી હોય અથવા કમઝોરીના કારણે ઈમામની અવાજ ધીમી હોય અને પાછળથી સફોમાં ઈમામની તકબીર, તસમીઅ અને સલામની અવાજ ન પહોંચતી હોય તો અમુક મુક્તદીઓએ પોતાની તકબીર, તહમીદ અને તસલીમની અદાયગીની નિય્યતથી પાછલી સફોના નમાઝીઓને જાણ થાય એ હેતુથી તકબીર, તહમીદ અને સલામ જોરથી કહેવી જાઈઝ છે.(તહતાવી કમ મરાકી ૧૪૩, શામી ૧/૩૧૯)
Log in or Register to save this content for later.