[ર૩૧] સના, અઊઝુ, બિસ્મિલ્લાહ વગેરે આહિસ્તા પઢવું સુન્નત છે

Chapter : નમાઝ

(Page : 265)

સવાલ :– મુક્તદી અને મુનફરિદે નમાઝમાં અલ્લાહુ અકબર, સના, અઊઝુ, બિસ્મિલ્લાહ, આમીન, સમિઅલ્લાહુ લિમન્‌ હમિદહ, રબ્બના વ લકલ્‌ હમ્દ, રુકૂઅ તથા સજદહની તસ્બીહ, અત્તહિય્યાત, દુરૂદ શરીફ, દુઆ અને સલામ એટલા જોરથી પઢવી કે આસપાસના બીજા નમાઝીઓ સાંભળી શકે, એ કેવું છે?

જવાબ :– મુક્તદી અને મુનફરિદ નમાઝીએ સવાલમાં લખેલી બધી વસ્તુઓ એ રીતે આહિસ્તા પઢવી કે આસપાસના નમાઝીઓ ન  સાંભળી શકે એ સુન્નત છે અને સુન્નત તરીકા વિરૂધ્ધ મજકૂર વસ્તુઓ જોરથી પઢવી એ મકરૂહ છે.               (શામી ૧/૩ર૦/૪૩૯, બહર ૧/૩૩૬)

                અલબત્ત, જો જમાઅત મોટી હોય અથવા કમઝોરીના કારણે ઈમામની અવાજ ધીમી હોય અને પાછળથી સફોમાં ઈમામની તકબીર, તસમીઅ અને સલામની અવાજ ન પહોંચતી હોય તો અમુક મુક્તદીઓએ પોતાની તકબીર, તહમીદ અને તસલીમની અદાયગીની નિય્યતથી પાછલી સફોના નમાઝીઓને જાણ થાય એ હેતુથી તકબીર, તહમીદ અને સલામ જોરથી કહેવી જાઈઝ છે.(તહતાવી કમ મરાકી ૧૪૩, શામી ૧/૩૧૯)

Log in or Register to save this content for later.