Chapter : નમાઝ
(Page : 259)
સવાલ :– હું સુરતથી દૂર મગદલ્લા ગામે મારી કંપનીની સોસાયટીમાં રહું છું, જયાંથી આઠ કિ.મી.ના અંતરે મસ્જિદ આવેલી છે. આથી મારે નોકરી સિવાયના સમયમાં દરેક નમાઝ ઘરે વગર જમાઅતે પઢવી પડે છે. બીજું કે સોસાયટીના ૧પ–ર૦ મકાન મુસ્લિમ ભાઈઓના છૂટા – છવાયા છે, જેમાંથી લગભગ બે ટકા ભાઈઓ જ નમાઝની ફિકર રાખે છે, બાકીના ભાઈઓ દીનથી ઘણા જ દૂર છે અને બધા ભાઈઓના નોકરીના સમય પણ અલગ–અલગ છે. જેથી હંમેશા જમાઅત કરી નમાઝ પઢવાનું શકય બનતું નથી. જેથી અમારી નમાઝ ઘરે એકલા જમાઅત વગર પઢવા વિશે જરૂરી માર્ગદર્શન આપશો.
જવાબ :– તમારે ઘર ઉપર પણ અઝાન અને તકબીર પઢીને નમાઝ પઢવી જોઈએ અને જો ત્યાં વસતા બીજા ભાઈઓ પણ આવી જાય અને જમાઅત સાથે નમાઝ અદા કરવામાં આવે તો અફઝલ છે અને જો ત્યાં વસતા ભાઈઓ જમાઅત માટે ભેગા ન થાય અને તમારી ઔરત નમાઝ પઢી શકવાની પરિસ્થિતિમાં હોય તો તેઓને પોતાની પાછળ ઉભા રાખી નમાઝની જમાઅત કરી શકો છો, પરંતુ અઝાન, તકબીર અને ઈમામત તમારે કરવી જોઈએ. (શામી ભાગ : ૧)
Log in or Register to save this content for later.