[ર૧] જમાઅત શરૂ થાય તો સુન્નતમાં ફકત અત્તહિય્યાત પછી સલામ

Chapter :

(Page : )

સવાલ :– તકબીરે તહરીમા અથવા પહેલી રકઅત મળી શકતી હોય એવી હાલતમાં સુન્નત નમાઝમાં છેલ્લા કઅ્‌દામાં ફકત અત્તહિય્યાત પઢી સલામ ફેરવવી અફઝલ છે કે દુરૂદ શરીફ તેમજ દુઆ પઢી સલામ ફેરવવી ?

જવાબ :– પૂછેલી સૂરતનો સ્પષ્ટ હુકમ તો કોઈ કિતાબમાં નજરે પડયો નથી, પરંતુ સુન્નત પઢવાની હાલતમાં ફર્ઝની જમાઅત શરૂ થવાને લગતા કવાઈદ અને મસાઈલથી માલૂમ પડે છે કે અફઝલ અને બેહતર એ છે કે દુરૂદ શરીફ અને દુઆ પઢયા વગર ફકત તશહ્‌હુદ (અત્તહિય્યાત) પઢી સલામ ફેરવીને તકબીરે તહરીમા અથવા પહેલી રકઅતમાં શરીક થવું જોઈએ, કારણ કે મજકૂર સૂરતમાં ભલે જમાઅત છૂટી જવાનો ભય નથી, પરંતુ સુન્નત નમાઝની સુન્નતો કરતાં ફર્ઝની સુન્નતો અને તેના ફર્ઝો જમાઅત સાથે અદા કરવા (જેમ કે ફર્ઝની સના અને કિરાઅત–કિયામ) વધુ અફઝલ છે.

(page number 64-65)

Log in or Register to save this content for later.