[ર૧૧] જંગલમાં અઝાન અને ઇકામત

Chapter : નમાઝ

(Page : 253)

સવાલ :– કોઈ માણસ જંગલ વિસ્તારમાં કામકાજ કરે છે. હવે જ્યારે નમાઝનો ટાઈમ થાય ત્યારે કોઈક વાર દૂર મસ્જિદથી અઝાનનો અવાજ સંભળાય છે અને કોઈક વાર અઝાન સંભળાતી નથી, તો જો અઝાન સંભળાય તો નમાઝ માટે અઝાન ફરી આપવી કે કેમ ? અને ન સંભળાય તો નમાઝ પઢવા માટે અઝાન આપવી કે કેમ ?

જવાબ :– એવા જંગલ વિસ્તારમાં કામ કરનાર કે જે કોઈ શહેર અથવા ગામના વહીવટ હેઠળ ન હોય તેના માટે નમાઝ માટે અઝાન અને તકબીર કહેવી સુન્નત છે, ચાહે કોઈ આબાદીની મસ્જિદમાંથી ત્યાં અઝાન સાંભળી શકાતી હોય કે ન સાંભળી શકાતી હોય. જો અઝાન નહિ આપે અને ફક્ત તકબીર કહેશે તો પણ જાઈઝ છે. બાકી તકબીર છોડવી મકરૂહ છે. (શામી, ૧/ર૬૪)

Log in or Register to save this content for later.