[ર૧૦] ઘરમાં નમાઝ માટે અઝાન–ઈકામત

Chapter : નમાઝ

(Page : 253)

સવાલ :– એકલા ઘરમાં નમાઝ પઢવી હોય તો જુદી અઝાન તેમજ ઇકામત આપવી જરૂરી છે ? મસ્જિદની અઝાન સાંભળી હોય તો પણ અને ન સાંભળી હોય તો પણ ?

જવાબ :– જો મસ્જિદ એટલી નજીક હોય કે ઘરમાં મસ્જિદની અઝાન સાંભળવા ચાહીએ તો સાંભળી શકાતી હોય અને મસ્જિદમાં અઝાન થઇ ચૂકી હોય તો ઘરમાં વગર અઝાન અને ઇકામતે પણ એકલા ફર્ઝ નમાઝ પઢી શકાય છે. મસ્જિદની અઝાન સાંભળવી ઘરમાં નમાઝ પઢવા માટે જરૂરી નથી. હા, સાંભળી શકાય એવી હોવી જરૂરી છે. બાકી સાંભળી શકાતી હોય એવી સૂરતમાં પણ ઘરમાં નમાઝ પઢનાર માટે મુસ્તહબ એ જ છે કે ચાહે મસ્જિદમાં અઝાન થઇ ચૂકી હોય તો પણ પોતે ઘરમાં અઝાન અને ઇકામત કહી નમાઝ પઢે.          (શામી, ભાગ–૧/ર૬૪)

Log in or Register to save this content for later.