Chapter : નમાઝ
(Page : 242)
સવાલ :– અમારા મહોલ્લાની મસ્જિદમાં ઈમામ અને મુઅઝ્ઝિનના મવજૂદ હોવા છતાં ઈમામ સાહેબ નાબાલિગ છોકરાથી અઝાન પઢાવે છે અને મુઅઝ્ઝિન ગેરહાજર હોય તો પણ ઈમામ સાહેબ પોતે અઝાન નથી પઢતા. શું અઝાન પઢવી ઈમામની શાન વિરુદ્ધ છે? અને શું નાબાલિગ છોકરાની અઝાન સહીહ છે, આ બારામાં બેહતર તરીકો શું છે?
જવાબ :– અગિયાર–બાર વર્ષના સમજદાર છોકરાની અઝાન વિના કરાહતે જાઈઝ છે. અલબત્ત, નાની ઉંમરના નાસમજ છોકરાની અઝાન દુરસ્ત નથી. અને તે ફરી આપવી પડશે અને બેહતર એ છે કે અઝાન આપનાર પુખ્ત વયનો બાલિગ પુરુષ હોય.
જયારે મુઅઝ્ઝિન ગેરહાજર હોય તો અઝાન આપવાની જવાબદારી ઈમામની નથી, પરંતુ એવી સૂરતમાં ઈમામ સાહેબે સ્વેચ્છાએ અઝાન આપવી અફઝલ છે અને જો ઈમામ સાહેબ અઝાન આપવાને પોતાની શાન વિરુદ્ધ અને હકીર કામ સમજતા હોય તો એવા માણસની ઈમામત મકરૂહે તહરીમી છે. ઈમામ અબૂ હનીફહ (રહ.) પોતે અઝાન અને ઈકામત પઢતા હતા અને હઝરત ઉમર (રદિ.) ફરમાવતા કે,
‘જો મને ઉઝર ન હોત તો હું પોતે જ અઝાન આપત.
(‘શામી ૧/ર૬ર,ર૬૮, ‘બદાઈઅ ૧/૧પ૦)
Log in or Register to save this content for later.