[૧૯૬] શરૂ ઈકામત વખતે ઈમામે ઊભા થઈ મુસલ્લા પાસે જઈ બેસવું

Chapter : નમાઝ

(Page : 238-239)

સવાલ :–(૬) જ્યારે ઈકામત શરૂ થાય તો ઈમામે ઊભા થઈ જવું અને મિહરાબ પાસે મુસલ્લા ઉપર જઈ બેસી જવું અને મુકતદીઓએ હય્ય અલસ્સલાહ સુધી પોતાની જગાએ બેસી રહેવું અને જલ્દી ઊભા થનારને બેસાડી આપવો એ તરીકો દુરૂસ્ત છે ? અગર દુરૂસ્ત છે તો હવાલા સહિત લખશો.

જવાબ :–(૬) ફિકહની કિતાબોમાં બયાન કરવામાં આવેલ વિગત મુજબ મજકૂર તરીકો દુરૂસ્ત નથી અને ઊભા થવાનો મજકૂર તરીકો ફિકહની કોઈ કિતાબમાં મવજૂદ નથી. ઉપર દુર્રે મુખ્તાર અને શામીના હવાલાથી નકલ કરેલી વિગત મુજબ તો જયારે ઈમામ મસ્જિદમાં મેહરાબથી દૂર બીજી કોઈ જગાએથી ઊભા થઈ મિહરાબ તરફ આવવા લાગે તો જે સફ પાસે પહોંચે તે સફના નમાઝીઓએ ઊભા થઈ જવું જોઈએ અને નમાઝ માટે ઊભા થયા પછી ઈમામ કે મુકતદીઓએ બેસવું ન જોઈએ અને ઈમામ અને મુકતદીઓએ ઊભા થવામાં એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે ‘કદ્‌ કામતિસ્સલાહ કહેતાં પહેલાં સફો દુરૂસ્ત થઈ જાય, તાકે મુસ્તહબ તરીકા મુજબ નમાઝ શરૂ કરી શકાય. કારણકે સફો દુરૂસ્ત કરવાની હદીસોમાં ઘણી જ તાકીદ આવેલી છે અને દુરૂસ્ત ન કરવા ઉપર સખત વઈદો આવેલી છે અને હય્ય અલસ્સલાહથી પહેલાં ઊભા થનારને બેસાડી આપવાનો હુકમ કોઈ પણ ફિકહની કિતાબમાં મવજૂદ નથી.

                મુફતીએ આઝમ હઝરત મૌલાના મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) લખે છે કે,

જો તરીકા બાઝ મસ્જિદોમેં ઈખ્તિયાર કિયા જાતા હે કે ઈકામતકે વકત ઈમામ બાહરસે યા મસ્જિદકે કિસી ગોશેમેં ચલકર આએ ઓર આ કર મુસલ્લે પર બેઠ જાએ ઓર ઈસ બેઠનેકો ઈસ દરજા જરૂરી સમજે કે જો લોગ પેહલે ખળે હોં ઉનકો ભી બેઠ જાનેકી તાકીદ કરેં, જો ન બેઠેં ઉસ પર તઅન કરેં, યે ઉમ્મતમેં કિસી ઈમામો ફકીહકા મઝહબ નહીં, ખાલિસ બિદઅત હે.

                અને સાથે જ એક અતિ અગત્યનું સૂચન પણ આપ્યું છે, જે બધાં જ માટે પણ આવકારદાયક અને લાભકર્તા છે.

ઓર આખરી તરીકા જો મજકૂર અઈમ્મએ ફુકહાઅ કે ખિલાફ હે વો અગરચે બા હમી ઝઘડા ઓર જંગો જિદાલ ઈસ સે ઝયાદા મઝમૂમો મનહૂસ હે. ઈસ લિયે ઈસ પર ભી કિસી સે ઝઘડના મુનાસિબ નહિં. હમદર્દી–ખૈર–ખ્વાહી ઓર નરમી કે સાથ મસ્અલેકી હકીકત ઐસે લોગોંકો બતલા દેં જિનસે ઉમ્મીદ કબૂલ કરનેકી હો, વરના સુકૂત બેહતર હે, ખૂદ અપના અમલ સુન્નતકે મુતાબિક રખ્ખે. દુસરોંસે તઅર્રૂઝ ન કરેં.                            (‘જવાહરુલ ફિકહ ૧)

Log in or Register to save this content for later.