[૧૯પ] ઈમામ તકબીરે તહરીમા કયારે કહે?

Chapter : નમાઝ

(Page : 237)

સવાલ :–(પ) ઈમામ અને મુક્તદીઓએ નમાઝ શરૂ કરવા માટે તકબીરે તહરીમા કયારે કહેવી જોઈએ અને મુકતદીઓએ ઊભા થઈ સફો કયારે દુરૂસ્ત કરવી જોઈએ ?

જવાબ :–(પ) જ્યારે ઈકામતમાં ‘કદ્‌ કામતિસ્સલાહ કહેવામાં આવે તો ઈમામે તકબીરે તહરીમા કહી નમાઝ શરૂ કરવી મુસ્તહબ છે અને ઈમામ અબૂ હનીફા (રહ.)ના મસ્લક પ્રમાણે મુકતદીઓએ પણ ઈમામની સાથે જ તકબીરે તહરીમા કહી નમાઝ શરૂ કરવી મુસ્તહબ છે.

(‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૩રર)

                ઈમામ અને મુકતદીઓએ મજકૂર મુસ્તહબ તરીકા મુજબ નમાઝ શરૂ કરવા માટે ‘કદ્‌ કામતિસ્સલાહથી એટલા પહેલાં ઊભા થઈ જવું જોઈએ કે ત્યાં સુધીમાં સફો એ પ્રમાણે દુરૂસ્ત થઈ જાય કે સફોમાં ખાલી જગ્યા પણ બાકી ન રહે અને ઊભા રહેવામાં સફો વાંકીચૂકી પણ ન રહે, જેમ કે અહાદીસથી હઝરાત સાહબએ કિરામ (રદિ.)નો મઅમૂલ મુબારક એ જ સાબિત છે કે,

‘તેઓ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને જોતાં જ ઊભા થઈને સફો સીધી કરવા લાગતા હતા.   (‘શર્હે મુસ્લિમ શરીફ)

Log in or Register to save this content for later.