Chapter : નમાઝ
(Page : 237)
સવાલ :–(પ) ઈમામ અને મુક્તદીઓએ નમાઝ શરૂ કરવા માટે તકબીરે તહરીમા કયારે કહેવી જોઈએ અને મુકતદીઓએ ઊભા થઈ સફો કયારે દુરૂસ્ત કરવી જોઈએ ?
જવાબ :–(પ) જ્યારે ઈકામતમાં ‘કદ્ કામતિસ્સલાહ કહેવામાં આવે તો ઈમામે તકબીરે તહરીમા કહી નમાઝ શરૂ કરવી મુસ્તહબ છે અને ઈમામ અબૂ હનીફા (રહ.)ના મસ્લક પ્રમાણે મુકતદીઓએ પણ ઈમામની સાથે જ તકબીરે તહરીમા કહી નમાઝ શરૂ કરવી મુસ્તહબ છે.
(‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૩રર)
ઈમામ અને મુકતદીઓએ મજકૂર મુસ્તહબ તરીકા મુજબ નમાઝ શરૂ કરવા માટે ‘કદ્ કામતિસ્સલાહથી એટલા પહેલાં ઊભા થઈ જવું જોઈએ કે ત્યાં સુધીમાં સફો એ પ્રમાણે દુરૂસ્ત થઈ જાય કે સફોમાં ખાલી જગ્યા પણ બાકી ન રહે અને ઊભા રહેવામાં સફો વાંકીચૂકી પણ ન રહે, જેમ કે અહાદીસથી હઝરાત સાહબએ કિરામ (રદિ.)નો મઅમૂલ મુબારક એ જ સાબિત છે કે,
‘તેઓ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને જોતાં જ ઊભા થઈને સફો સીધી કરવા લાગતા હતા. (‘શર્હે મુસ્લિમ શરીફ)
Log in or Register to save this content for later.