Chapter : નિકાહ
(Page : 52-53)
સવાલઃ– એક ગામમાં એક મુસ્લિમ ભાઈએ પહેલી શાદી મુસ્લિમ ઓરત સાથે કરેલ છે તેની હયાતીમાં તે ભાઈએ એક ગેર મુસ્લિમ ઓરત જે બે બાળકોની માં છે તેને પોતાના ઘરમાં રાખી છે, ૧પ – ૧૬ વર્ષ થયા હજુ સુધી ઈસ્લામ સ્વીકાર્યો નથી અને આ હાલતમાં જ આ ભાઈથી ગેર મુસ્લિમ ઓરતને ત્રણ અવલાદ થઈ છે, હવે તે ઓરત ઈસ્લામ સ્વીકારવા માંગે છે તો તે બાબત શું હુકમ છે? આ ઓરતને ગેર મુસ્લિમ ધણીથી બે બાળકો છે, જે પોતાની નાની (ગેર મુસ્લિમ)ને ત્યાં છે, આ ગેર મુસ્લિમ ઓરતનો ગેર મુસ્લિમ ધણી હયાત છે, જેનાથી છુટાછેડા લીધા નથી, તો આ ઓરત ઈસ્લામ કબૂલ કરી મુસ્લિમ ધણી સાથે નિકાહ પઢી શકે છે કે નહિ ?
જવાબઃ– જયારે આ ઓરત મુસલમાન થઈ જાય તો ઈસ્લામ સ્વીકાર્યા પછી તેને ત્રણ હૈઝ (માસિક) આવ્યા પછી તે પોતાના ગેર મુસ્લિમ પતિના નિકાહમાંથી છૂટી થઈ જશે અને ત્યાર પછી તે મુસલમાન સાથે નિકાહ પઢવા ચાહે તો પઢી શકશે. ઈસ્લામ સ્વીકાર કર્યા પછી તેને ત્રણ માસિક આવતાં પહેલા તેની સાથે મુસલમાને નિકાહ પઢવા જાઈઝ નથી. (શામી :ર/૩૮૦)
Log in or Register to save this content for later.