[૧૯૩] ‘હય્ય અલલ્‌ ફલાહથી પહેલાં ઊભા થવું જાઈઝ છે

Chapter : નમાઝ

(Page : 234-235)

સવાલ :–(૩) જે સૂરતમાં હય્ય અલલ ફલાહ વખતે ઊભા થવું મુસ્તહબ છે તેના મુસ્તહબ હોવાનો શું મતલબ છે ? શું તે પહેલાં ઊભા થવું નાજાઈઝ છે ? અને કોઈ નમાઝી એથી પહેલાં ઊભો થાય તો તેને બેસાડી દેવો જોઈએ ?

જવાબ :–(૩) ફિકહે હનફીના મશહૂર આલિમ શૈખ સય્યિદ અહમદ તહતાવી (રહ.) હય્ય અલલ ફલાહ વખતે ઊભા થવાના મુસ્તહબ હોવાનો મતલબ આ પ્રમાણે બતાવે છે કે હય્ય અલલ ફલાહ કહેતા સુધીમાં ઈમામ અને મુકતદીઓએ ઊભા થઈ જવું જોઈએ. એથી મોડું ન કરવું જોઈએ. એથી પહેલાં ઊભા થવામાં કોઈ વાંધો નથી.

વઝ્‌ઝાહિરુ અન્નહુ ઈહ્‌તિરાઝુન્‌ અનિત્‌ તઅ્‌ખીરિ લત્તક્‌દીમિ હત્તા લવ્‌ કામ અવ્વલલ્‌ ઈકામતિ લા બઅ્‌સ.

(‘તહતાવી અલા દુર્રે મુખ્તાર ૧/ર૧પ)

                હઝરત મૌલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) પણ અલ્લામા સય્યિદ તહતાવી (રહ.)ના લખાણ મુજબ લખે છે કે,

જિસ વકત તકબીર પઢનેવાલા હય્ય અલસ્સલાહ પર પહોંચે ઉસ વકત મુકતદીયોંકો ખળા હો જાના ચાહિયે ઓર અગર ઈસસે પહેલે શુરૂઅ તકબીર હી સે ખળે હો જાએં તબ ભી જાઈઝ હે, કોઈ મુઝાઅકા નહીં.(‘ફતાવા દારુલ ઉલૂમ ૧,ર/૧૪૦)

                ઉપરોકત બયાનથી સ્પષ્ટ થાય છે કે હય્ય અલલ્‌ ફલાહ અથવા હય્ય અલસ્સલાહથી પહેલાં ઊભા થવું નાજાઈઝ નથી અને મકરૂહ પણ નથી અને જો માની પણ લઈએ કે ખાસ હય્ય અલસ્સલાહ અથવા હય્ય અલલ્‌ ફલાહ વખતે જ ઊભા થવું મુસ્તહબ છે. એથી પહેલાં ઊભા થવું મુસ્તહબ નથી તો પણ ખાસ સૂરતમાં એથી પહેલાં ઊભા થવાને મકરૂહ નહિ કહેવામાં આવે. કારણકે ફિકહની કિતાબોમાં સાફ શબ્દોમાં એક કાયદો લખવામાં આવ્યો છે કે :

વઅમ્મલ્‌ મુસ્તહબ્બુ અવિલ્‌ મનદૂબુ ફયન્બગી અલ્લા યક્‌રહ તર્‌કુહુ અસ્લન્‌

[કે મુસ્તહબને છોડી આપવું બિલકુલ મકરૂહ નથી.]  (‘શામી ૧/૪૩૯)

                અને બીજી જગ્યાએ મજકૂર કાયદો આ શબ્દોમાં લખવામાં આવ્યો છે કે,

વલા યલઝમુ મિન તર્કિલ્‌ મુસ્તહબ્બિ સુબુતુલ્‌ કરાહતિ ઈઝ્‌ લાબુદ્દ લહા મિન્‌ દલીલિન્‌ ખાસ્સિન્‌ ”બહર”

[ કે મુસ્તહબના છોડવાથી કરાહતનું સાબિત થઈ જવું લાઝિમ નથી. કારણકે કરાહતના સબૂત માટે કોઈ ખાસ દલીલ મવજૂદ હોવી જરૂરી છે.]                                      (‘શામી ૧/પ૬ર)

                ઉપરોકત હવાલાઓથી માલૂમ પડયું કે જો કોઈ નમાઝી ઈમામના મિહરાબ પાસે મવજૂદ હોવાની સૂરતમાં પણ હય્ય અલસ્સલાહથી પહેલાં ઊભો થઈ જાય તો તેનું ઊભું થવું વિના કરાહતે જાઈઝ છે અને તેને બેસી જવા કહેવું દુરૂસ્ત નથી.

                અલ્લામા શામી (રહ.)એ તો એક આ હદીસ પણ નકલ કરી છે કે,

                ‘જયારે નિદાઅ સાંભળો તો ઊભા થઈ જાઓ’.

                અને મજકૂર હદીસનો એક આ મતલબ પણ બયાન કરવામાં આવ્યો છે કે, હદીસમાં આવેલ નિદાઅ શબ્દનો મતલબ ઈકામત છે અને હદીસનો ભાવાર્થ એ છે કે તમો જયારે ઈકામત સાંભળો તો ઊભા થઈ જાઓ.                                                 (‘શામી ૧/ર૬૬)

                અને દુર્રે મુખ્તાર અને ફિકહની સંખ્યાબંધ કિતાબોમાં મુસ્તહબનો હુકમ જ એ બતાવવામાં આવ્યો છે કે તેના ઉપર અમલ કરવો અફઝલ અને સવાબનું કામ છે પરંતુ તેને છોડવાથી ન તો માણસ ગુનેહગાર બને છે અને ન ઈતાબ– મલામતપાત્ર બને છે.                   (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૩ર૧)

Log in or Register to save this content for later.