[ર૩] ગેર સહીહ નિકાહવાળી ઓરત સાથે નિકાહ માટે ઈદ્દત

Chapter : નિકાહ

(Page : 51-52)

સવાલ :–  એક સ્ત્રીએ ઈસ્લામ કબૂલ કર્યો, પરંતુ મુર્તી પૂજા વગેરે શિર્ક કરતી જ રહી અથવા ઈસ્લામ કબૂલ કરતી વખતે મુર્તી પુજા વગેરે શિર્કથી તવબહ ન કરી હતી અને એવી સ્ત્રી સાથે મુહંમદહનીફે નિકાહ પઢી લીધા અને હવે તે સ્ત્રીનું મુહંમદહનીફના તે નિકાહનો હમલ છે અને તે સ્ત્રી ફરીથી ઈસ્લામ મુકમ્મલ રીતે સ્વીકારે છે તો મુહંમદહનીફ નવેસરથી નિકાહ પઢવા માંગે છે તો શું તેણીએ હમલ હોવાથી ઈદ્દત ગુજારવી જરૂરી છે કે નહીં?

જવાબ :– મજકૂર ઓરતે મુહંમદ હનીફ સાથે નવેસરથી નિકાહ પઢવા માટે ઈદ્દત ગુજારવી જરૂરી નથી, તેના જ હમલની હાલતમાં કોઈ ઈદ્દત ગુજાર્યા વિના તે મુહંમદ હનીફ સાથે નિકાહ પઢી પત્ની તરીકે રહી શકે છે.

Log in or Register to save this content for later.