[૧૯ર] ‘હય્ય અલલ્‌ ફલાહ વખતે ઊભા થવાના મુસ્તહબ હોવાની દલીલ

Chapter : નમાઝ

(Page : 232-233)

સવાલ :–(ર) હય્ય અલલ્‌ ફલાહ અથવા હય્ય અલસ્સલાહ વખતે ઊભા થવાના મુસ્તહબ હોવાની શું દલીલ છે ? એ વિશે કોઈ હદીસ હોય તો તે નકલ કરશો.

જવાબ :–(ર) ઈકામતમાં ખાસ હય્ય અલલ્‌ ફલાહ અથવા હય્ય અલસ્સલાહ વખતે ઈમામ અને મુતકદીના ઊભા થવા વિશે ફિકહ કે હદીસની કિતાબોમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી કોઈ અમલી કે કૌલી હદીસ તો મનકૂલ નથી, પરંતુ ફુકહાએ કિરામે એ પ્રમાણે દલીલ બયાન ફરમાવી છે કે ‘હય્ય અલસ્સલાહ અને ‘હય્ય અલલ્‌ ફલાહ એ અરબી ભાષાના આજ્ઞાવાચક વાકયો છે, જેનો ભાવાર્થ એ છે કે આવો નમાઝ માટે, આવો કામયાબી માટે, તો એ વાકયોથી આપવામાં આવતા હુકમનું પાલન એ પ્રમાણે કરવું જોઈએ કે નમાઝ માટે જલ્દીથી ઊભા થઈ જવું જોઈએ અને આ હુકમ સાંભળ્યા પછી ઊભા થવામાં મોડું ન કરવું જોઈએ.

લિઅન્નલ્‌ મુકીમ અમર બિલ્‌કિયામિ અય્‌ ઝિમ્ન કવ્લિહિ હય્ય અલલ્‌ ફલાહ ફઈન્નલ્‌ મુરાદ બિફલાહિહિમિલ્‌ મત્‌લૂબિ મિનહુમ્‌ હીનઈઝિન્‌ અસ્સલાતુ ફયુબાદિરુ ઈલય્‌હા બિલ્‌કિયામિ.  (‘તહતાવી અલલ્‌ મરાકી ૧પ૧)

                શૈખ અબ્દુલ હક મુહદ્દિસ (રહ.)એ હય્ય અલસ્સલાહ વખતે ઊભા થવાની દલીલ આ પ્રમાણે રજૂ ફરમાવી છે :–

ફુકહા ગુફતા અંદ મઝહબ આનસ્ત કે નિઝદે હય્ય અલસ્સલાહ બાયદ બરખાસ્ત વ શાયદ કે બેરૂન આમદને આં હઝરત દરીં વકત મી બૂદ.

ભાવાર્થ : ફુકહાએ કિરામે ફરમાવ્યું છે કે, મઝહબ આ છે કે હય્ય અલસ્સલાહ વખતે ઊભા થઈ જવું જોઈએ અને શકય છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હય્ય અલસ્સલાહ વખતે જ નમાઝ માટે મકાનથી બહાર મસ્જિદમાં તશરીફ લાવતા હોય.                      (‘અશિઅ્‌અતુલ્‌ લમ. ૧/૩ર૧)

Log in or Register to save this content for later.