[૧૭] ગરીબ ખેત માલિક ઝકાત લઈ શકે

Chapter : ઝકાત

(Page : 60)

સવાલ :– એક માણસ પાસે ખેતી છે જેની કિંમત નિસાબથી વધારે છે, તો આવો માણસ ખર્ચની તંગીના ખાતર ઝકાત લઈ શકે છે ?

જવાબ :– જો તે માણસની ખેતીની આવક એટલી ન થતી હોય કે તેની અને તેના બીવી બચ્ચાઓની વાર્ષિક જીવન જરૂરિયાત પૂરી થઈ શકે તો તેના માટે ઝકાત લેવી જાઈઝ છે ચાહે ખેતીની કિંમત નિસાબથી વધારે પ્રમાણમાં થતી હોય.    (શામી–ર/૬પ)

Log in or Register to save this content for later.