Chapter : નમાઝ
(Page : 231)
સવાલ :–(૧) નમાઝની ઈકામત વખતે ઈમામ અને મુકતદીઓ માટે ઊભા થવાનો હુકમ ફિકહની અરબી કિતાબોના હવાલા સાથે વિગતવાર જણાવશો.
જવાબ :–(૧) જો ઈમામ ઈકામત શરૂ થાય તે વખતે મસ્જિદમાં મિહરાબ પાસે મવજૂદ હોય, તો ઈમામ અને મુકતદીઓએ હય્ય અલલ ફલાહ અથવા હય્ય અલસ્સલાહ કહેતી વખતે ઊભા થઈ જવું મુસ્તહબ છે અને જો ઈમામ ઈકામત શરૂ થતી વખતે મિહરાબ પાસે ન હોય બલ્કે મસ્જિદમાં બીજી કોઈ જગ્યાએ બેઠા હોય, તો ઈમામ ઊભા થઈને જે સફ સુધી પહોંચે તે સફના નમાઝીઓએ ઊભા થઈ જવું જોઈએ અને જો ઈમામ મસ્જિદથી બહાર હોય અને સફોની પાછળથી મસ્જિદમાં દાખલ થાય તો પણ ઈમામ જે સફ સુધી પહોંચે તે સફના માણસોએ ઊભા થઈ જવું જોઈએ અને જો ઈમામ મસ્જિદથી બહાર હોય અને સફોની આગળથી દાખલ થાય તો મુકતદીઓએ ઈમામને જોતાંની સાથે જ ઊભા થઈ જવું જોઈએ.
વલ કિયામુ લિઈમામિન્ વ મુઅતમ્મિન્ હીન કીલ હય્ય અલલ્ ફલાહ… ઈન્ કાનલ્ ઈમામુ બિકુર્બિલ્ મિહરાબિ વ ઈલ્લા (અય્ વઈલ્લમ્ યકુનિલ્ ઈમામુ બિકુર્બિલ્ મિહરાબિ બિઅન્ કાન ફી મવઝિઈન આખર મિનલ્ મસ્જિદિ અવ્ ખારિજહુ વદખલ મિન્ ખલફિન્) ફયકૂમુ કુલ્લુ સફિ્ફન્ યન્તહી ઈલયહિલ્ ઈમામુ અલલ્ અઝહરિ વ ઈન્ દખલ મિન્ કુદ્દામિન્ કામૂ હીન યકઉ બસરુહુમ્ અલય્હિ.
(‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૩રર)
Log in or Register to save this content for later.