Chapter : ઝકાત
(Page : 57-58)
સવાલ :– જે માણસ પાસે ૭।। તોલા સોનું અથવા પર।। તોલા ચાંદી અથવા એ બેનું મિશ્ર હોય તે શરઈ દ્રષ્ટિએ માલદાર કહેવાય.
પરંતુ આજે પર।। તોલા ચાંદીની કિંમત એક તોલા સોનાની કિંમતના બરાબર થાય છે તો હવે નિસાબમાં ૭।। તોલા સોનાનો હિસાબ ૧પ૦૦૦/– રૂપિયા થાય છે અને ચાંદીની કિંમત ર૧૦૦/– રૂપિયા થાય છે તો નિસાબમાં કયો હિસાબ માન્ય રખાશે, કદાચ કોઈની પાસે ર૧૦૦/– રૂપિયા રોકડા હોય અથવા પ૨।। તોલા ચાંદી હોય અને કોઈ કર્ઝ ન હોય તો શું તેના ઉપર કુરબાની વાજિબ થશે ? તેમજ કોઈની પાસે ચાંદી કે રોકડ નથી અને ૭।। તોલા સોનાથી ઓછું સોનું હોય તો તેના ઉપર કુરબાની વાજિબ થશે કે નહિ?
જવાબ :– જો કોઈની પાસે ફકત સોનું હોય તો નિસાબમાં સાડા સાત તોલા વજન મોઅતબર ગણાશે માટે જે વ્યકિત પાસે ફકત સોનું છે અને સાડા સાત તોલાથી ઓછું છે તો તે શરઈ દ્રષ્ટિએ માલદાર નહિ ગણાય તેના ઉપર ઝકાત – કુરબાની સદકએ ફિત્ર વાજિબ નહિ થાય અને જો કોઈની પાસે (૧) ચાંદી અને સોનું હોય (ર) સોનું અને રોકડ રકમ હોય (૩) ચાંદી અને રોકડ રકમ હોય (૪) સોનું અને ઝરૂરત ઉપરાંત વધારાનો સામાન હોય (જેમ કે કપડાં, વાસણો, ઘરો, ફર્નિચર વગેરે) (પ)ચાંદી અને વધારાનો સામાન હોય તો માલદારીના નિસાબમાં સાડા બાવન તોલા ચાંદીની કિંમત મોઅતબર ગણાશે. એવી જ રીતે કોઈની પાસે ફકત રોકડ હોય અથવા રોજિંદી ઝરૂરતો ઉપરાંત ફકત વધારાનો સામાન હોય, સાથે સોનું – ચાંદી રોકડ કંઈ ન હોય તો પણ નિસાબમાં સાડા બાવન તોલા ચાંદીની કિંમત મોઅતબર ગણાશે અને જો કોઈની પાસે ફકત ચાંદી હોય તો નિસાબમાં સાડા બાવન તોલા વજન મોઅતબર ગણાશે.
ઉપરોકત વિગત મુજબ જેની પાસે ફકત સાડા બાવન તોલા ચાંદીની આજના ભાવથી થતી રોકડ કિંમત ર૧૦૦ રૂપિયા હોય અથવા સાડા બાવન તોલા ચાંદી હોય અને કોઈ કર્ઝ ન હોય તો તે એવો માલદાર ગણાશે કે કુરબાની પણ વાજિબ થશે અને મઝકૂર મૂડી ઉપર ઈસ્લામી વર્ષ વીતી જવાથી ઝકાત પણ ફર્ઝ થશે.
અને જો કોઈની પાસે સાડા સાત તોલાથી ઓછું સોનું છે પરંતુ કોઈ વધારાનો સામાન છે અને બન્નેની કિંમત સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર છે તો ચાહે તેના ઉપર ઝકાત ફર્ઝ નહિ થાય પરંતુ કુરબાની અને સદકએ ફિત્ર તો વાજિબ થશે. (શામી –ર)
Log in or Register to save this content for later.