[૧૯૦] ઈકામત પહેલાં ‘બિસ્મિલ્લાહ અને દુરૂદ શરીફ

Chapter : નમાઝ

(Page : 230)

સવાલ :– જમાઅતની નમાઝ વખતે તકબીર કહેતાં પહેલાં બિસ્મિલ્લાહ અને દુરૂદ શરીફ બુલંદ અવાઝે કહેવામાં આવે છે. શું ઈકામત પહેલાં આ પ્રમાણે બિસ્મિલ્લાહ અને દુરૂદ શરીફ જોરથી પઢવું જરૂરી અને જાઈઝ છે? અમુક લોકો કહે છે કે દરેક મહત્ત્વતા વાળા કામને બિસ્મિલ્લાહથી શરૂ કરવું જોઈએ. શું હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં અને ખુલફાએ રાશિદીન (રદિ.)ના ઝમાનામાં આ પ્રમાણે તકબીર પહેલાં બિસ્મિલ્લાહ અને દુરૂદ શરીફ પઢવામાં આવતું હતું ?

જવાબ :– તકબીરના મુસ્તહબ્બાત અને તેની સુન્નતો સહીહ હદીસોના આધારે ફિકહની કિતાબોમાં તફસીલથી લખવામાં આવી છે, પરંતુ કોઈ હદીસ કે ફિકહની કિતાબમાં ખાસ તકબીરની શરૂમાં બિસ્મિલ્લાહ પઢવું  સાબિત નથી, ન તો સહાબાએ કિરામ  (રદિ.) અને સલફે સાલિહીન(રહ.)ના અમલથી સાબિત છે.

                સવાલમાં દર્શાવેલ હદીસનો મતલબ અલ્લાહ તઆલાનું ઝિક્ન કરવાનો પણ સાબિત છે અને તકબીરના શબ્દો ખુદ અલ્લાહના ઝિક્નના શબ્દો છે. માટે જોરથી બિસ્મિલ્લાહ ન પઢવી જોઈએ. હા, કોઈ કોઈ વાર જરૂરી સમજયા વગર આહિસ્તા પઢી લેવામાં આવે તો મના પણ નથી, બાકી જરૂરી સમજવું બિદઅત છે.

                એવી જ રીતે તકબીરથી પહેલાં દુરૂદ શરીફ પઢવાને જરૂરી સમજવું બિદઅત અને નાજાઈઝ છે અને તકબીરથી પહેલાં બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢવું ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત છે, ન સહાબાએ કિરામ અને અઈમ્મએ ઈઝામ (રદિ.)થી સાબિત છે,

                બલ્કે અલ્લામા તહ્‌તાવી (રહ.)એ ઈકામતની શરૂમાં દુરૂદ શરીફ પઢવાને મકરૂહ અને બિદઅત બતાવ્યું છે.

(‘તહ્‌તાવી કમ મરાકી ૧૦૮, ‘શામી ૧/૩૪૮)

Log in or Register to save this content for later.