[૧ર] મકાનના બાંધકામ દરમિયાન જમા રકમની ઝકાત

Chapter : ઝકાત

(Page : 55-56)

સવાલ :–  મારી પાસે અમુક ટકા રકમ હતી અને વરસ ગુજરી જવા પહેલાં મકાન બનાવવા પાછળ ખર્ચ થઈ ચૂકી હવે ખરી રીતે જોવા જઈએ તો મારી પાસે મકાન ન હતું અને મેં ત્રણ મકાનો એકી સાથે બનાવ્યા, એટલે મકાનની ઝરૂરત તો એકની ગણાય તે છતાં પણ જો ત્રણ મકાનની બાંધકામ વિધિ પતાવી રકમ ખર્ચ કરી તો આ પ્રમાણેની સૂરતમાં મારા ઝિમ્મે ઝકાતની અદાયગી બાકી રહે કે નહિ ? બીજું કે ઉપરોકત મકાનોની બાંધકામ વિધિ ત્રણ વરસે પૂરી થઈ તે દરમિયાન દર વર્ષે  મારા પાસે જે રકમ રહેતી તેની હું ઝકાત અદા કરતો ગયો અને કામકાજ કરાવતો ગયો અને વચગાળામાં અમુક રકમ ઝકાત અદા કર્યા સિવાયની પસાર થઈ તો આવી સૂરતમાં મારા ઝિમ્મે ઝકાતની અદાયગી બાકી રહી ગણાય કે નહિ અને અદાયગી બાકી રહેલી ગણાય તો એ ગુનાહથી બચવા માટેની શું સૂરત અપનાવવી તે જણાવશો.

જવાબ :– વર્ષ પૂરું થતા પહેલાં જે રકમ પોતાના ઉપયોગ માટે બનાવેલા મકાનોમાં ખર્ચ કરી અને ઈમારતી સામાનની ખરીદારી વખતે તે બધા મકાનો અથવા અમુકને વેચવાની નિય્યત કરી નથી તો હવે વર્ષ પૂરું થયેથી મકાનોના બાંધકામમાં ખર્ચ થયેલ રકમની ઝકાત આપવાની રહેશે નહિ.                         (દુર્રે મુખ્તાર – શામી–ર/૮,૧૪)

               બાંધકામ દરમિયાન જે રકમ ઝકાત અદા કર્યા સિવાયની જમા રહી, જો તે દરમિયાન તમો ઝકાત પાત્ર મૂડીથી સાહિબે નિસાબ હતા તો તે રકમની ઝકાત હાલ પણ અદા કરવી ઝરૂરી છે, હાલ તે રકમની ઝકાત અદા કરી હોવાથી અને મોડા અદા કરવા બદલ ઈસ્તિગફાર કરવાથી ગુનાહ માફ થવાની આશા છે.

Log in or Register to save this content for later.