[ર૮] વિધવા વહેંચણી પહેલાં વારસા મિલકતમાંથી હજ ન પઢે

Chapter : હજ

(Page : 70)

સવાલ :–  વિધવાના શોહરે વારસા મિલકત પેટે સાત લાખ રૂપિયા અને પાંચ વિંઘા જમીન છોડી છે, મજકૂર મિલ્કતની વારસા વહેંચણી પહેલાં વિધવા સંયુકત મિલકતમાંથી હજ પઢી શકે છે કે વારસદારોમાં વારસા વહેંચણી પછી પોતાના હિસ્સામાં આવતી રકમમાંથી હજ પઢે?

જવાબઃ– વિધવાના શોહરે છોડેલા સાત લાખ રૂપિયાની શરીઅત મુજબ વારસા વહેંચણીથી પોતાનો હિસ્સો અલગ કરી લે અને પછી પોતાના હિસ્સાની રકમથી હજ પઢવા જાય. સંયુકત વારસા રકમમાંથી હજ પઢવા ન જાય, જો હિસ્સાની રકમ હજ માટે પૂરતી ન હોય અને મરહૂમના બાલિગ છોકરા – છોકરી પોતાના ભાગની રકમ રાજીખૂશીથી બક્ષિશ આપે તો તેઓના ભાગની રકમથી પણ હજ પઢવી જાઈઝ છે, હજ પહેલાં જ વારસા વહેંચણી કરી લેવી જોઈએ, તાકે વિધવાનો ભાગ અલગ થઈ જાય અને તે પોતાના ભાગમાંથી હજ કરી શકે.  (શામી–પ)

Log in or Register to save this content for later.