Chapter : ઝકાત
(Page : 53-54)
સવાલ :– કોઈ વ્યકિત પર બે લાખ કર્ઝ છે અને તે કર્ઝ લઈને ટ્રક લાવેલ છે, ટ્રકની કિંમત ર લાખ કરતાં વધારે છે તો તે કર્ઝદાર કહેવાય? શું કુરબાની વાજિબ છે?
જવાબ :– બે લાખ દેવું છે તેનાથી દેવાદાર કહેવાશે અને ટ્રક જો ભાડેથી ફેરવવા ખરીદ કરી છે તો એની ગણના માલદારીના સામાનમાં નહિ થાય. હા, એ સિવાય ઝરૂરતથી વધારે રોકડ રકમ કે સોનુ ચાંદી કે વેપારનો સામાન અથવા બીજી કોઈ વસ્તુ નિસાબના પ્રમાણમાં છે તો કુર્બાની વાજિબ થશે, નહિ તો કુર્બાની વાજિબ નહિ થાય અને ટ્રક પણ વેચવા ખરીદ કરી હોય તો માલદારીના સામાનમાં ગણવામાં આવશે. (દુર્રે મુખ્તાર શામી–ર/૯)
Log in or Register to save this content for later.