Chapter : ઝકાત
(Page : 52-53)
સવાલ :– પ્રોવિડન્ટ ફંડના નાણા સરકાર પાસે જમા હોય તે ગણતરીમાં લેવા પડે કે કેમ ?
જવાબ :– પોતાના પગારમાંથી સરકારના કાયદા મુજબ જે રકમ પ્રોવિડન્ટ ફંડના નામે કપાય છે તેને હાલ પોતાની પાસે જમા રકમ સાથે ગણતરીમાં નહિ લેવી પડે, જયારે તે ફંડની રકમ વસૂલ થઈ જાય તો જો પોતાની પાસે તે ફંડની વસૂલાતના સમયે ઝકાતપાત્ર કોઈ મૂડી નિસાબભર પહેલેથી હતી તો હવે ફંડની રકમની તે વર્ષની ઝકાતને મૂડી સાથે આપવાની રહેશે અને જો ફંડ વસૂલાત થતી વખતે કોઈ ઝકાતપાત્ર મૂડી નિસાબભર ન હતી તો હવે વસૂલાત પછી જયારે ફંડની રકમ પર વર્ષ વીતી જાય અને કોઈ દેવું વગેરે ન હોય ત્યારે ઝકાત આપવી ફર્ઝ થશે, પણ જો કોઈ માણસ એહતિયાત કરી પ્રો. ફંડની રકમને ગણતરીમાં લે અને વસૂલ થયે પાછલા વર્ષોની પણ ઝકાત આપે તો બેહતર છે. (શામી–૩૬, ઈ.ફતાવા–ર/પ૦)
Log in or Register to save this content for later.