[૧૩] અનેક હાજતો અને નેઅમતો માટે નફલ નમાઝ

Chapter :

(Page : )

સવાલ :– કોઈ માણસ કોઈ ફર્ઝ નમાઝ પછી વધારાની બે રકઅત નફલ નમાઝ પઢે, જેમ કે ઈશા પછી મજકૂર બે રકઅત પઢે તો તેમાં કેટલી નિય્યતો જાઈઝ છે ? દા.ત. તંદુરસ્તીની, ખૂશીની, શુક્રની, શિફાની, દીની ઈલ્મની, ગુનાહ માફ થવાની વગેરે કેટલી નિય્યતો થઈ શકે ?

જવાબ :– પોતાની અનેક દુન્યવી હાજતો અને આખિરતની હાજતો પૂરી થવાની નિય્યતથી ચાર રકઆત અથવા બે રકઆત નફલ નમાઝ, સલાતુલ્‌ હાજત પઢવી મુસ્તહબ છે અને એક અથવા અનેક નેઅમતો પ્રાપ્ત થવાના ખુશીના પ્રસંગે બે રકઅત શુક્રિયહની નફલ નમાઝ પઢવી પણ જાઈઝ છે અને તે નમાઝ સલાતુલ્‌ હાજત સિવાય અલગ બે રકઅત પઢવી જોઈએ. (દુ. મુખ્તાર, શામી ૧/૪૬૦/પર૪, તહતાવી ર૭ર)

(page number 58-59)

Log in or Register to save this content for later.