Chapter : નમાઝ
(Page : 226-227)
સવાલ :– (૧) અસરની નમાઝ પછી કઈ કઈ નમાઝ પઢી શકાય ? સલાતુત્તવબહ, સલાતુલહાજત, સજદએ તિલાવત અથવા કઝા નમાઝ અસરની નમાઝ પછીથી મગરિબ સુધી પઢી શકાય કે નહિ ?
(ર) સજદાની હાલતમાં દુઆ માંગી શકાય?
(૩) કોઈ પણ સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢતા હોય, (ચાહે તે ચાર રકાત વાળી હોય કે બે રકઅત વાળી) અથવા નફલ નમાઝ પઢતા હોય અને ફર્ઝ નમાઝની જમાઅત ઉભી થઈ ગઈ અને આપણે તકબીરે ઉલા સાથે નમાઝમાં જોડાવવા માંગતા હોય તો શું મુખ્તસર દુરૂદ શરીફ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બે વખત પઢી, અસ્તગફિરૂલ્લાહ ત્રણ વખત પઢી ફર્ઝ નમાઝમાં જોડાઈ જઈએ તો ચાલે? હાલાંકે અત્તહિય્યાત પઢી દુરૂદ શરીફ પઢવું સુન્નત છે. તો શું તેનો સવાબ મળી જશે ? અને તકબીરે ઉલાથી નમાઝ પઢવી હોય તો તેનો સવાબ કયાં સુધી મળી શકે છે ?
જવાબ :– (૧) અસરની ફર્ઝ નમાઝ પછી અને ગુરૂબે આફતાબથી ૧ર–૧પ મીનીટ પહેલાં ફર્ઝ અને વાજિબની કઝા નમાઝ, સજદએ તિલાવત અને જનાઝહની નમાઝ વિના કરાહતે પઢી શકાય છે અને મજકૂર વખતમાં મન્નતની વાજિબ નમાઝ, તવાફની વાજિબ નમાઝ, ફાસિદ થયેલી નફલ નમાઝ, સલાતુત્તવબહ, સલાતુલ હાજત, સલાતુ તહિય્યતિલ્ વુઝૂ વલ મસ્જિદ અને બીજી કોઈ નફલ કે સુન્નત નમાઝ જેમકે સૂર્ય ગ્રહણની નમાઝ પઢવી મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે. (‘શામી’ ૧ / રપ૧)
(ર) સજદહમાં દુઆ માંગવી જાઈઝ છે. (‘શામી’–૧)
(૩) ફર્ઝની જમાઅતમાં શામિલ થવા મુખ્તસર દુરૂદ શરીફ અને દુઆ પઢવાથી સુન્નતનો સવાબ મળી જશે. (‘શામી’–૧)
Log in or Register to save this content for later.