Chapter : નિકાહ
(Page : 46-47)
સવાલ :– શું ફરમાવે છે ઉલમાએ કિરામ અને મુફતીયાને કિરામ નીચેના મસ્અલામાં, એક છોકરીના નિકાહ છ – સાત વર્ષની ઉમરમાં થયા હતા, પરંતુ હજુ છોકરીને પોતાના ઘરે મોકલી નથી, તેમજ મોકલવાનો વિચાર પણ નથી. તો એ લડકીના નિકાહ બીજા ઠેકાણે કરવાના હોય તો એ બારામાં તલાકની જરૂર ખરી ? નિકાહ વખતે છોકરા છોકરીના બાપે ઈજાઝત રૂપે કબૂલ કર્યું હતું.
જવાબ :– ના બાલિગ છોકરા–છોકરીના બાપની ઈજાઝતથી જે નિકાહ થયા હતા, તે દુરસ્ત થઈ ગયા છે. માટે હવે જયાં સુધી છોકરો બાલિગ થયા પછી તલાક ન આપે ત્યાં સુધી એ છોકરીના નિકાહ બીજા ઠેકાણે કરવા હરામ છે.
જો છોકરો તલાક ન આપે તો છોકરાના બાપની રજા આપવાનો કોઈ એઅતેબાર નથી. એવી જ રીતે છોકરો બાલિગ થતાં પહેલાં તલાક આપે તે પણ મોઅતબર ગણવામાં આવે નહિં.
છોકરી ઉમર લાયક થઈ ગઈ હોય અને છોકરો ઓરત તરીકેના સંબંધો તેની સાથે રાખવા ચાહતો હોય તો છોકરીના બાપે છોકરીને રોકવી ન જોઈએ, જો છોકરો બાલિગ હોવાની હાલતમાં તલાક આપી દે અને છોકરો–છોકરી કોઈ પણ જગ્યાએ એકાંતમાં મળ્યા ન હોય તો છોકરી પર ઈદ્દત ગુજારવી વાજિબ નથી. ઈદ્દત પહેલાં તલાક થયેથી તુરત બીજા ઠેકાણે તેના નિકાહ પઢાવી શકાય છે. (શામી– ર/૩૦૪,૩૯૦,૪ર૬)
Log in or Register to save this content for later.