Chapter : ઝકાત
(Page : 51-52)
સવાલ :– એક માણસ પાસે ફકત પાંચ તોલા સોનું છે, તો શું તેના ઉપર ઝકાત ફર્ઝ છે અને શું તે ઝકાત લઈ શકે છે? અથવા કોઈની પાસે એક બે તોલા સોનું છે તો શું તેની ઉપર ઝકાત ફર્ઝ છે અને તે ઝકાત લઈ શકે છે?
જવાબ :– જો કોઈ માણસ પાસે ૭।। (સાડાસાત) તોલા સોનું અથવા પર॥ (સાડા બાવન) તોલા ચાંદી અથવા થોડું સોનું અને થોડી ચાંદી એટલા પ્રમાણમાં હોય કે બન્નેવની કિંમત પર।। તોલા ચાંદીની કિંમતના બરાબર થાય તો સોના ચાંદીની આ ત્રણેવ સૂરતોમાં ઝકાત ફર્ઝ થાય છે જયારે કે બીજી શરતો પણ પૂરી હોય અને જો આ ત્રણેવ સૂરતોમાંથી દરેક સૂરતમાં ઉપર બતાવ્યા મુજબ વજનથી ઓછું સોનું – ચાંદી હોય તો ઝકાત ફર્ઝ નહિ થાય.
એવી જ રીતે ૭।। તોલા સોનાથી ઓછું સોનું અને થોડી રકમ હોય કે બન્નેની રકમ મળી કુલ રકમથી પર।। તોલા ચાંદીની કિંમત થઈ જતી હોય અથવા થોડા સોના સાથે વેપારનો માલ હોય અને તેની તથા સોનાની કિંમત મળી પર।। તોલા ચાંદીની કિંમત થઈ જતી હોય તો પણ ઝકાત ફર્ઝ થઈ જશે, હાં જો માથા પર દેવું હોય તો પછી બીજો હુકમ લાગુ પડશે. (દુર્રે મુખ્તાર–ર/ર૮,૩૩)
જો પાંચ તોલા અથવા એક બે તોલા સોના સાથે બીજો કોઈ એવો સામાન હોય જે એની જીવન જરૂરિયાતથી વધારે હોય અને એ સામાનની અને સોનાની કિંમત પર।। તોલા ચાંદીની કિંમતના બરાબર હોય તો આ માણસ ઝકાત ન લઈ શકે અને જો આવો સામાન ન હોય તો લઈ શકે છે, સામાનમાં તિજારતનો સામાન હોવો ઝરૂરી નથી, જેવા કે ઘરના મોટા વાસણો દેગ, ભેણું અને શોભાની વસ્તુઓ જે જરૂરિયાતમાં આવતી જ નથી. (શામી–ર/પ૮)
Log in or Register to save this content for later.