[૧૮૬] અસર પહેલાં કે પછી નફલ નમાઝ

Chapter : નમાઝ

(Page : 226)

સવાલ :–  અસરની ફર્ઝ નમાઝ પછી અથવા પહેલાં અને મગરિબના શરૂઆતના સમયથી પાંચ કે દસ મિનિટ પહેલાં સલાતુલ્‌ હાજત અથવા સલાતુત્તવબહ પઢી શકાય કે નહિ? અથવા કઈ કઈ નમાઝો પઢી શકાય?

જવાબ :– સૂર્યના પીળા પડતા પહેલાં એટલે કે સૂર્યાસ્તથી લગભગ વીસ મિનિટ પહેલાં અસરના ફર્ઝથી પહેલાં કોઈ પણ નફલ, ફર્ઝ અને વાજિબ નમાઝ પઢી શકાય છે અને મજકૂર વખતમાં અસરના ફર્ઝ પછી ફર્ઝની કઝા પઢી શકાય છે, સલાતુત્તવબહ, સલાતુલ હાજત અને બીજી કોઈ નફલ નમાઝ અથવા મન્નતની નમાઝ પઢવી મકરૂહ છે અને મગરિબના શરૂ વખતથી પાંચ દસ મીનીટ પહેલાં કોઈ પણ નમાઝ પઢવી જાઈઝ નથી, સિવાય કે તે દિવસની અસરની ફર્ઝ નમાઝ બાકી હોય તો તે પઢી શકાય.                             (‘શામી’ – ૧/ ર૪૯,રપ૧)

Log in or Register to save this content for later.