[૧પ] દુલ્હા, દુલ્હન, વકીલ અને ફકત એક ગવાહની હાજરીમાં નિકાહ

Chapter : નિકાહ

(Page : 45-46)

સવાલ :– એક નિકાહ એ રીતે થયા કે ફકત એક વકીલ, એક ગવાહ અને નિકાહ પઢનાર છોકરો અને છોકરી મવજૂદ હતા, નિકાહ વખતે કોઈ આલિમ મવજૂદ ન હતા, જે મુસલમાન ભાઈ છોકરીનો વકીલ હતો તેણે જ નિકાહ પઢાવ્યા હતા, તો આ પ્રમાણે બે દોસ્તો (એક વકીલ અને એક ગવાહ) અને અમો બે નિકાહ પઢનાર છોકરા–છોકરી એમ ફકત ચાર જ માણસોએ મળીને નિકાહખાની કરી લીધી અને અમોએ નિકાહ પઢયા પછી ફકત અલ્હમ્દુ શરીફ પઢી લીધી અને દુઆ માંગી લીધી, ન અમારામાં કોઈ આલિમ હતા અને ન કોઈ કાઝી હતા, ફકત મુસલમાન હોવાની દ્રષ્ટિએ નિકાહ પઢી લીધા, તો આ નિકાહ સહીહ અને જાઈઝ ગણાશે કે નહિ? અમારા મહોલ્લાની મસ્જિદના ઈમામ સાહેબનું પણ કહેવું છે કે આ પ્રમાણે પણ નિકાહ તો થઈ જાય છે, પરંતુ ખુત્બહ પઢવો સુન્‍નત છે.

જવાબ :– ચાર માણસો જેમાં દુલ્હા, દુલ્હન, એક વકીલ અને એક ગવાહ મવજૂદ હતા જેઓ એક મજલિસમાં ભેગા થયા અને તે મજલિસમાં દુલ્હન ઓરતની હાજરીમાં ઓરતના વકીલ તથા દુલ્હાએ નિકાહનો ખુત્બહ પઢયા વગર ફકત એક ગવાહની રૂબરૂ નિકાહના ઈજાબ અને કબૂલ કરી નિકાહ પઢી લીધા તો આ નિકાહ જાઈઝ અને દુરસ્ત ગણાશે અને જે દુલ્હા – દુલ્હનના આ રીતે નિકાહ થયા તે શરઈ દ્રષ્ટિએ પતિ – પત્ની બની જશે, કારણ કે ચાહે નિકાહની મજલિસમાં બે મુસ્લિમ પુરૂષો અથવા એક મુસ્લિમ પુરૂષ અને બે મુસ્લિમ ઓરતો ગવાહ તરીકે મવજૂદ હોવા એ નિકાહના જાઈઝ અને સહીહ થવા માટે જરૂરી છે, પરંતુ પૂછેલી સૂરતમાં દુલ્હન ઓરતના પોતે નિકાહની મજલિસમાં હાજર હોવાથી વકીલને આ નિકાહમાં બીજો ગવાહ ગણવામાં આવશે અને નિકાહથી પહેલાં ખુત્બહ પઢવો સુન્‍નત છે અને આલિમ પાસે નિકાહ પઢાવવા અફઝલ છે, એ બન્‍નેવ વાતો નિકાહના સહીહ થવા માટે શર્તરૂપી નથી એટલે તેના વગર પણ નિકાહ સહીહ થઈ જશે.(શામી–ર/ર૭૪)

Log in or Register to save this content for later.