[૧૪] છોકરીથી નિકાહની ઈજાઝત લેતી વખતે ગવાહોનું હોવું મુસ્તહબ છે, વાજિબ નથી

Chapter : નિકાહ

(Page : 44)

સવાલ :– એક નિકાહ થયા તેમાં વકીલ સાહેબે જયારે છોકરીની ઈજાઝત લીધી ત્યારે ગવાહો ત્યાં હાજર ન હતા અને નિકાહની મજલિસમાં બે ગવાહો નકકી કરવામાં આવ્યા હતા, ગવાહોએ કહયું કે અમોએ તો છોકરીની ઈજાઝત સાંભળી નથી તો વકીલ સાહેબે કહયું કે મેં પૂછી લીધું છે એટલે ચાલશે. તો શું ફકત વકીલ સાહેબ ગવાહો વગર છોકરીની ઈજાઝત લઈ લે તો ચાલી શકે કે ઈજાઝત વખતે ગવાહો હાજર હોવા જરૂરી છે? બીજું એ કે આ નિકાહમાં કોઈ શરઈ ગુનોહ લાગુ પડશે અથવા કોઈ વાંધો આવશે?

જવાબ :– છોકરીની ઈજાઝત લેતી વખતે ગવાહોનું હાજર હોવું જરૂરી નથી. વિના ગવાહોએ લીધેલી ઈજાઝત અને વકાલત પણ મોઅતબર અને જાઈઝ છે અને એવી વકાલત અને ઈજાઝતથી થયેલા નિકાહ કોઈ શરઈ ગુનાહ અને વાંધા વગર જાઇઝ અને દુરસ્ત છે. વકીલ તરીકેની ઈજાઝત લેતી વખતે ગવાહી મુસ્તહબ છે અને નિકાહની મજલિસમાં નિકાહના ઈજાબ – કબૂલ (કોલ કરાર) વખતે ગવાહોનું હાજર હોવું અને તેઓનું ઈજાબ – કબૂલને સાંભળવું નિકાહના જાઈઝ થવા માટે શર્ત અને જરૂરી છે.                                                                    (શામી–ર/ર૭ર)

Log in or Register to save this content for later.