[૧૮૧] ઈશાનો ટાઈમ બે તકવીમોમાં અલગ હોય

Chapter : નમાઝ

(Page : 221)

સવાલ :–  હમારે ત્યાં ઈશાની અઝાનના માટે જૂન–જૂલાઈ માસમાં મતભેદ થયા છે, અમુક માણસો કહે છે કે ઈશાની અઝાન ૭:૩૭ પછી જ થાય છે, એ પહેલાં અઝાન થઈ શકતી નથી, માટે આપ હઝરતથી ખુલાસો ચાહું છું. હમારે ત્યાં શમ્સી તકવીમ પણ છે અને દાઈમી તકવીમ પણ છે. શમ્સી તકવીમમાં ૮:પ૦ છેલ્લો ટાઈમ બતાવે છે અને દાઈમી તકવીમમાં ૮:પ૬ છેલ્લો ટાઈમ છે, પણ હમારે ત્યાં મુતવલ્લી સાહેબ તકવીમના ટાઈમ ટેબલ પછી પણ પ–૧૦ મીનીટ પછી જ અઝાન અપાવે છે. અમે કહીએ છીએ કે ટાઈમ થઈ જાય છે પછી તમો શા માટે અઝાન અપાવતા નથી ? તો કહે છે કે એ ટાઈમમાં કરાહત છે, એટલે પ–૧૦ મીનીટ પછી જ અઝાન આપવી જોઈએ, હમારે ત્યાં હમારા મુતવલ્લી સાહેબ શમ્સી તકવીમને માનતા જ નથી, એમનું કહેવું છે કે એ તો સોનગઢ વ્યારા તરફ છપાય છે અને એ ટાઈમ ત્યાં ચાલે છે. એમનું કહેવું એમ છે કે હઝરત મુફતી કિફાયતુલ્લાહ સાહેબ ના મત પ્રમાણે ૧ કલાક ૩૭ મીનીટ પછી અઝાન થઈ શકે છે તો શું આ શમ્સી તકવીમ પ્રમાણે અઝાન થઈ શકે કે નહિ ? હમારે ત્યાં ઈશાની અઝાન ૯:૦પ મીનીટે થાય છે, તો શું ૮:પપ મિનિટે અઝાન નથી થઈ શકતી? તેનો ખુલાસો આપશો.

જવાબ :– દરેક નમાઝના ટાઈમ માટે અસલ તો તે નિશાનીઓ છે જે નમાઝોના ટાઈમ માટે શરીઅતે નકકી ફરમાવી છે, ઈશાની નમાઝ માટે શફકે અબયઝનું ગુરૂબ થવું એ નિશાની છે, માટે બન્ને તકવીમોમાંથી દરેક તકવીમમાં લખેલા ટાઈમને ગુરૂબે શફકે અબયઝનું નિરિક્ષણ કરી તપાસવો જોઈએ. જે ટાઈમ ગુરૂબે શફકના પ્રત્યક્ષ નિરીક્ષણને મળતો આવે તે ટાઈમ મુજબ અમલ કરવો જોઈએ. અત્રે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે દરેક જગ્યાનો ટાઈમ એક હોતો નથી. માટે શમ્સી તકવીમમાં દરેક સ્થળનો સમય તફાવત પણ આપ્યો છે અને શમ્સી તકવીમ તૈયાર કરનાર સાહેબે જાતે નિરીક્ષણ પણ કર્યુ છે. અને તેમાં એહતિયાતની સુચના લખેલી હોય છે.

                વળી, ઈશાનો વખત શરૂ થયા પછી થોડીવારે અઝાન આપવી મુસ્તહબ છે.                                               (શામી –ર/૪૯ )

Log in or Register to save this content for later.