[ ૧૮ ] ઔરત હજ પઢયા પછી માલદાર બને તો

Chapter : હજ

(Page : 61)

સવાલ :– એક માણસ પોતાની ઔરત સાથે હજ કરવા ગયા હતા. આ હજ માત્ર પતિ ઉપર ફર્ઝ હતી. હજ કરીને આવ્યા પછી તે માણસની પત્નીને તેમના પિતાની મિલ્કતમાંથી વારસા હક મળ્યો. જેમાં ઘણો માલ મળ્યો. તો શું હવે તેણીએ બીજીવાર  હજ પઢવા જવું પડશે કે પતિ સાથે હજ માટે ગઈ હતી તે પૂરતી ગણાશે.

જવાબઃ– મજકૂર પત્નીએ પોતાના પતિ સાથે જે હજ પઢી હતી, જો તે નફલની નિય્યતથી નથી પઢી તો તેમની ફર્ઝ હજ અદા થઈ ગયેલી ગણાશે, હજ પછી બાપના માલમાંથી વારસો મળવાથી બીજીવાર હજ પઢવી ફર્ઝ નહિ ગણાય.              (ઝુ. મનાસિક – રપ/૭૯, ભા–૧)

Log in or Register to save this content for later.