[ર] ઝકાતનો હિસાબ

Chapter : ઝકાત

(Page : 47-48)

સવાલ  :– મારી પાસે પાંચ તોલા સોનું, વીસ તોલા ચાંદી અને છ હજાર રૂપિયા રોકડા છે, હવે જો સોનાનો એક તોલાનો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા હોય અને ચાંદીનો એક તોલાનો ભાવ પંચોતેર (૭પ–૦૦) રૂપિયા હોય તો મારે આ સોના, ચાંદી અને રોકડ રકમની ઝકાત અદા કરવા માટે કેટલી રકમ આપવી પડશે?

 જવાબ :– જયારે ઝકાતનું વર્ષ પૂરું થાય અને ઝકાતપાત્ર માલની ઝકાત વાજિબ થાય ત્યારે સોના–ચાંદીનો જે ભાવચાલતો હોય તે ભાવથી પોતાની માલિકીના સોના–ચાંદીની કિંમત આંકી અને ઝકાતપાત્ર કુલ મૂડીનો હિસાબ કરી જે ટોટલ થાય તેના અઢી ટકા લેખે એટલે કે દર સો રૂપિયા દીઠ અઢી રૂપિયાના હિસાબથી ઝકાત આપવામાં આવે. દા,ત. આપની લખેલી કિંમત મુજબ સોના–ચાંદીની કિંમત અને રોકડ રકમનું ટોટલ ત્રીસ હજાર રૂપિયા થાય છે તો તેની ઝકાત સાતસો પચાસ રૂપિયા (૭પ૦/–) થશે. અત્રે એ વાત યાદ રાખવી ખાસ ઝરૂરી છે કે સોના – ચાંદીના ભાવમાં વધઘટ થતી રહે છે. માટે ઝકાતનું વર્ષ પૂરું થવાના દિવસે જે બજારભાવ હોય તે ભાવથી હિસાબ કરવામાં આવશે (શામીઃર/રર)

Log in or Register to save this content for later.